ભારતીય ધર્મગ્રંથોમાં હનુમાનજીને વિશેષ સ્થાન આપવામાં આવેલ છે.હનુમાનજી એકમાત્ર એવા દેવ છે જે દેશમાં સતત ભ્રમણ કરતા રહે છે.આગામી 31 માર્ચના રોજ હનુમાન જયંતિ આવી રહી છે ત્યારે ભારતના એવા 5 હનુમાન મંદિર વિશે વાત કરીશું કે જ્યાં માત્ર દર્શન કરવા માત્રથી ભક્તની મનોકામના પૂર્ણ થાય છે.
સંકટ મોચન મંદિર
હનુમાનજીનું આ મંદિર વારાણસી ખાતે આવેલ છે આ મંદિર સાથે જોડાયેલ એક લોક વાયકા પ્રમાણે હનુમાનજીની આ મૂર્તિની સ્થાપના ગોસ્વામી તુલસીદાસજી દ્વારા કરવામાં આવી હતી.આ મૂર્તિના દર્શન માત્રથી ભગવાન ભક્તની મનોકામના પૂર્ણ કરે છે.
ઉલટે હનુમાનજી મંદિર
મધ્યપ્રદેશના ઇંદોર ખાતે આવેલ ઉલટે હનુમાનજી મંદિરમાં રોજ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે.એક માન્યતા પ્રમાણે અહીં દર્શન કરવા આવેલ તમામ ભક્તની મનોકામના ચોક્કસ પૂર્ણ થાય છે. આ મંદિરમાં આવેલી પ્રતિમા ઊઁધી છે.
હનુમાન મંદિર ઇલાહબાદ
હનુમાનજીનું આ મંદિર સંગમ કિનારે આવેલ છે.ભારતનું આ એકમાત્ર મંદિર છે જ્યાં મૂર્તિ 20 લંબાઇ ધરાવે છે.આ મંદિરમાં દર્શન કરવા આવનારની તમામ મનોકામના હનુમાનજી પૂર્ણ કરે છે.
હનુમાનગઢી મંદિર અયોધ્યા
આ મંદિર હનુમાનગઢી નામથી પ્રચલિત છે.હનુમાનજીની મૂર્તિના દર્શન કરવા ભક્તે 60 પગથિયા ચઢવા પડે છે અહીં દર્શન કરવા આવનાર તમામ ભક્તની મનોકામના હનુમાનજી પૂર્ણ કરે છે.
હનુમાન ધર્મ મંદિર
હનુમાનજીનું આ મંદિર ચિત્રકૂટમાં આવેલું છે. અહીં હનુમાનજીની વિશાળ પ્રતિમા પાસે બે પાણીના કુંડો આવેલા છે. હનુમાનજીની પ્રતિમાને અડકીને જલધારાઓ વહે છે. એટલે તેને હનુમાન ધારા કહે છે.