2019 તેના અંતિમ કલાકોમાં છે. નવું વર્ષ 2020 નવી આશાઓ અને નવા સવાલો સાથે આપણી વાટ જોઈ રહ્યું છે. આ સમયે આપણે જાણવું જરૂરી છે કે 2020માં એવા કયા સવાલો છે જે ભારતીય અર્થતંત્ર માટે ખૂબ અગત્યના છે જેના શક્ય જવાબો આપણને 2020માં મળી શકે છે જે ભારતીય અર્થતંત્ર બદલી નાખવા પણ સક્ષમ છે.
સવાલ 1. શું અર્થતંત્ર ફરીથી પાટા ઉપર આવશે?
આ પ્રશ્ન માટે નિષ્ણાતોનું માનવું છે કે અર્થતંત્રની આ દશા માટે ગ્રાહકોની માંગમાં થયેલો ઘટાડો જવાબદાર છે. આ પરિબળ ખૂબ જોખમી છે કેમ કે તે બાહ્ય પરિબળો વડે ઉકેલી શકાતું નથી. સરકારના બજેટ ઉપર, ફુગાવા ઉપર અને નિકાસ વધારવા ઉપર સૌની નજર છે પરંતુ જ્યાં સુધી ગ્રાહકોને વિશ્વાસ નહિ બેસે ત્યાં સુધી આ મંદી નાથવી અઘરી છે. આમ 2020માં હાલ કરતા પરિસ્થિતિ સારી હશે તેમ લાગી રહ્યું છે પરંતુ અર્થતંત્ર બિલકુલ તંદુરસ્ત થઇ જાય તેવી શક્યતા ઓછી છે.
સવાલ 2. શું GSTના માળખામાં ફેરફાર કરવામાં આવશે?
મંદીને નાથવા નાણા મંત્રી નિર્મલા સીતારમણ વડે 20 સપ્ટેમ્બરે કોર્પોરેટ ટેક્સમાં રાહત આપીને સૌને ચોંકાવી દીધા. હવે સૌની નજર છે કે શું આવી રાહત પર્સનલ ઈન્ક્મ ટેક્સમાં પણ મળશે? સૂત્રોના મતે સરકાર GSTના હાલના માળખામાં મોટા પાયે તફાવત કરવા જઈ રહી છે. આ નવા GSTમાં કોઈ 0% સ્લેબમાં નહિ હોય, તમામ ઉદ્યોગોએ ઓછો દરનો ટેક્સ ભરવો જ પડશે. સરકાર આ વધેલી આવકની મદદથી પર્સનલ ઈન્ક્મ ટેક્સના દરો ઘટાડી શકે છે.
સવાલ 3. લોન્સ સસ્તી થશે?
સસ્તી લોન્સ અર્થતંત્ર માટે બુસ્ટર સાબિત થઈ શકે છે. જો કે RBIએ 5 ડિસેમ્બરે વ્યાજ દરો ઘટાડવાનો ઇન્કાર કરી દીધો જે દર્શાવે છે કે લેણદારો સારી દશામાં નથી. લોન્સ ઘટાડવા માટે બે પરિબળો દુશ્મન બની શકે છે : ફુગાવાના વધતા દરો અને નાણાકીય ખાધ.
ભારતમાં રિયલ એસ્ટેટ, સડક નિર્માણ, રેલવે, શેરબજાર, ખાણ ખનીજ, પાણી, ટ્રાન્સપોર્ટ, એરપોર્ટ, ઓઇલ અને ગેસ પાઈપલાઈન્સ, પાવર ટ્રાન્સમિશન ગ્રિડ્સ, ઓછો કાર્બન પેદા કરે તેવી વીજળી, કૃષિના ગોદામો, સિંચાઈ વગેરે ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટની તકો છે. જો કે મંદી આ ઇન્વેસ્ટમેન્ટ માટે માથાનો દુખાવો બનીને રહી ગઈ છે.
દેશના નબળા GDP ગ્રોથ અને માર્કેટની નબળાઈ છતાં નિફટી અને સેન્સેક્સ તેજી રફ્તારથી આગળ વધી રહ્યા છે અને 2020માં નિષ્ણાતો આ બંનેના આંકડાઓમાં 15%નો જંગી ઉછાળો થવાની શક્યતા દર્શાવે છે. જો કે આમ થવા માટે NBFC કટોકટી અને બજાર માંગમાં ઝડપી સુધારો થાય તે જરૂરી છે. પાવર, કોલસો, કેપિટલ ગુડ્સ વગેરે ક્ષેત્રોમાં મંદીના વાદળો ખસે તે ખૂબ જરૂરી છે.
સવાલ 6. શું ટેલિકોમમાં ફક્ત બે જ કંપનીઓનું અસ્તિત્વ રહેશે?
હાલમાં દેશના ખાનગી ક્ષેત્રમાં Jio, એરટેલ, વોડાફોન-આઈડિયા એમ ત્રણ જ કંપનીઓ બચી છે. AGRને લગતા વિવાદના કારણે વોડાફોન-આઈડિયાએ ખૂબ મોટી રકમ ચૂકવી પડી છે. વોડાફોન-આઈડિયાના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ ચેતવણી આપી છે કે જો સરકાર તરફથી કોઈ રાહત નહિ મળે તો કંપની બંધ કરવાની નોબત પણ આવી શકે છે. જો કે ભારત સરકાર આમ થવા દે એવી શક્યતા ખૂબ ઓછી છે કારણ કે જો આમ થાય તો તે વિદેશી ઇન્વેસ્ટર્સ ઉપર ભારતની ખૂબ ખરાબ છાપ ઉભી કરે તેમ છે.
સવાલ 7. એર ઇન્ડિયા અને BPCL વેચાઈ જશે?
સરકાર BPCLનું આવતા વર્ષે ખાનગીકરણ તેવી વધારે શક્યતા છે. આ સાથે સરકાર તેમનો ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ શરુ કરશે. આ ખાનગીકરણથી વિદેશી કંપનીઓ ભારતમાં એનર્જી સેક્ટરમાં સહેલાઇથી એન્ટ્રી લઇ શકશે. આ મુદ્દે કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે પરંતુ તેમની સાથે સમાધાન સાધી શકાય તેમ છે. એર ઇન્ડિયા વર્ષોથી ખોટ કરી રહી છે.
સવાલ 8. ભારતના ઈકોમર્સ માટે જુદા કાયદા અને પોલિસીઝ બનશે?
ભારતનું ઇકોમર્સ ક્ષેત્ર 50 અબજ ડોલર્સ જેટલું છે જ્યાં રેગ્યુલેટરી પોલિસીનો અભાવ છે. સરકાર દ્વારા હમણાં આપવામાં આવેલા નિવેદન પ્રમાણે ગ્રાહક સુરક્ષા અને ડેટા પ્રાઇવસી માટે આ ક્ષેત્રમાં નવા નિયમોનું ગઠન કરવામાં આવશે. આ પૈકીના કેટલાક ચુસ્ત નિયમોથી હોબાળો મચી ગયો છે અને ફાઇનાન્શ્યલ ફર્મ મોર્ગન સ્ટેન્લીના મતે આ કાયદાઓથી બિઝનેસ ખર્ચ અને અનિશ્ચિતતાઓ વધશે. ભારતમાં ઇકોમર્સ 200 અબજ ડોલર થવાના અંદાજિત વર્ષને 1 વર્ષ પાછું ઠેલવીને 2027 કરવામાં આવ્યું.
સવાલ 9. Jio તેનો મેગા IPO બહાર પડશે?
મુકેશ અંબાણીનો Jioને રિલાયન્સ ગ્રુપથી અલગ કરીને એક સ્વતંત્ર કંપની બનાવવાનો નિર્ણય અને 1 લાખ કરોડથી વધુના ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સના કારણે રોકાણકારોમાં અત્યારથી જ ઉત્સુકતા ફેલાઈ છે. 35 કરોડથી વધુ ગ્રાહકો અને સૌથી પ્રથમ વખત 4G લોન્ચ કરવાના વિક્રમ સાથે 3 વર્ષીય Jioનું JP મોર્ગન દ્વારા અધધ 50 અબજ ડોલર જેટલું વેલ્યુએશન કરવામાં આવ્યું છે.
સવાલ 10. પોસાય એવા ભાવે ઇલેક્ટ્રિક ગાડીઓનું વેચાણ શરુ થશે?
ટાટા મોટર્સે ડિસેમ્બરમાં નેક્સન EV નામની નાનકડી ઇલેક્ટ્રિક SUV લોન્ચ કરી છે. આ માટે કંપની આશા રાખે છે કે ગ્રાહકો પેટ્રોલ ડીઝલ કરતા 20-30% વધુ રૂપિયા ખર્ચવા તૈયાર થશે. એક બેટરી ચાર્જમાં 200 કિમી જેટલું અંતર કાપી શકતી ઇલેક્ટ્રિક ગાડીઓની ખરીદી ઉપર FAME (Faster Adoption and Manufacturing of Hybrid & Electric Vehicles) યોજના અંતર્ગત 3 લાખ રૂપિયા સુધીનો ફાયદો આપવામાં આવશે. આ ઉપરાંત આ એપ્રિલમાં આવવા જઈ રહેલા પ્રદુષણના BS 6 સ્ટાન્ડર્ડસ ઝેરી વાયુઓના ઉત્સર્જન માટે વધુ કડક થશે જેથી પરંપરાગત ગાડીઓની મેન્યુફેક્ચરિંગ કિંમત વધશે જે સંજોગોમાં પણ ઇલેક્ટ્રિક ગાડી આકર્ષક વિકલ્પ બની રહેશે. બેટરીના ભાવો પણ ઘટી રહ્યાં છે. નિષ્ણાતોના મતે ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક ગાડીઓ કરતા પહેલા ઇલેક્ટ્રિક 2 વ્હીલર અને 3 વ્હીલરની એન્ટ્રી પડશે.