ગુજરાતના સરેરાશ 42.68% મતદારો માટે રોજગારીની તકો મહત્વનો મુદ્દો છે જ્યારે 31.72% મતદારોએ પીવાના પાણીની પ્રાથમિકતા આપી છે. વધુ રસપ્રદ વાત એવી છે કે શહેરી મતદારો માટે નોકરી-શિક્ષણમાં અનામત કરતાં ટ્રાફિકની સમસ્યામાં ઉકેલ વધુ મહત્વનો નુદ્દો છે તેમ એક સર્વેક્ષણમાં સામે આવ્યું છે. વધુ માહિતી માટે જુઓ આ વીડિયો...
સપ્ટેમ્બર 2018થી ડિસેમ્બર 2018 દરમિયાન એસોશિયેશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ દ્વારા ગુજરાતના 26 સાંસદ ક્ષેત્રના 13 હજારથી વધુ મતદારોનું મંતવ્ય જાણીને આ સર્વેક્ષણ તૈયાર કરાયું છે. જેના અનુસાર શહેરી મતદારોએ ટ્રાફિક સમસ્યામાં ઉકેલને સૌથી મહત્વની અગત્યતા ગણાવી હતી.