રાજ્યમાં ચૂંટણીનાં જોર અને શોર હવે શમી ગયાં છે ત્યારે હવે ખેડૂતોનો અવાજ ફરી વાર સંભળાવા લાગ્યો છે. કારણ કે, પોતાની મહેનતથી ઉપજાવેલી ખેતપેદાશ પર વેપારીઓ તંત્ર બેફામ બની કૌભાંડ આચરવા લાગ્યાં છે. તંત્રની મિલિભગત અને વેપારીઓનાં બદઈરાદાથી ખેડૂતોની તુવેર ખેડૂતો જ પર બટ્ટો લગાડનારી બની છે. કારણ એ છે કે ખેડૂતોની ગુણવત્તાવાળી તુવેરમાં વેપારીઓ અને ટેકા તંત્રની મલિનતાએ ભેળસેળ કરી છે. તપાસ આદરી દેવાઈ છે પરંતુ તે હંમેશની માફક જ છે.