જેએનયુ છાત્રસંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારે એન્વાયર્મેન્ટ એક્ટિવિસ્ટ દિશા રવિનું સમર્થન કર્યું છે.
કન્હૈયા કુમારે કર્યો કટાક્ષ
દિશા રવિને આપ્યો ટેકો
JNU વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ છે કન્હૈયા કુમાર
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના પૂર્વ અધ્યક્ષ અને સીપીઆઇ નેતા કન્હૈયા કુમારે ટૂલકિટ કેસમાં ધરપકડ કરવામાં આવેલઈ એક્ટિવિસ્ટ દિશા રવિના બચાવમાં આગળ આવ્યા છે.
दिशा रवि ने किसानों का समर्थन करके गलती कर दी। दंगाइयों का समर्थन करती तो शायद मंत्री, मुख्यमंत्री या क्या पता प्रधानमंत्री ही बन जाती।
દિશાએ ખેડૂતોને ટેકો આપીને ભૂલ કરી હતી : કન્હૈયા કુમારનો વ્યંગ
તેમણે મંગળવારે એક વ્યંગાત્મક રીતની ટિપ્પણી દ્વારા દિશાનું સમર્થન કર્યું હતું, તેમણે કહ્યું હતું કે દિશાએ ખેડૂતોને ટેકો આપીને ભૂલ કરી હતી, જો તે તોફાનીઓનું સમર્થન કરતી તો કદાચ મંત્રી, મુખ્યમંત્રી શું ખબર પ્રધાનમંત્રી જ બની ગઈ હોત.
મહત્વનું છે કે વિપક્ષના ઘણા નેતાઓ આ મુદ્દે દિશા રવિનો બચાવ કરી રહ્યા છે. સોમવારે કન્હૈયા કુમારે દિશાની ધરપકડ અંગે કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. દિશા પર ખેડૂત આંદોલનને મદદ કરવા માટે ટૂલકિટ તૈયાર કરવાનો આરોપ છે. દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે દિશા રવિ ટૂલકિટની એડિટરની હોવાની સાથે જ ડોક્યુમેન્ટ તૈયાર કરવા અને સોશિયલ મીડિયા દ્વારા તેનો પ્રસાર કરવા અંગેની મુખ્ય આરોપી છે. તેણે તેને સ્વીડનની એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગને મોકલી આપી હતી અને તેણે તેણે જાહેર કરી દીધું હતું.
દિલ્હી પોલીસ દ્વારા આ કેસમાં તપાસ ચાલુ છે
જો કે દિલ્હી પોલીસ દ્વારા આ કેસમાં અન્ય અભિયુક્તો અંગે પણ તપાસ ચાલુ રાખવામાં આવી છે, પરંતુ દિશા રવિને આ ટૂલકિટ કેસમાં મુખ્ય અભિયુક્ત માનવામાં આવી રહી છે, જેને લઈને અમુક હાલમાં રાજકારણ ગરમાયું છે, વિપક્ષના નેતાઓ આને મોદી સરકારની ખોટી કામગીરી તરીકે વર્ણવી રહ્યા છે, જ્યારે કે સરકારના સમુક ટેકેદારો એવા મતલબના તર્ક સાથે સરકારી તંત્રની આ કામગીરીનું સમર્થન કરી રહ્યા છે કે કાયદો ઉમરને નથી જોતો, તે માત્ર કાર્યને જુએ છે.
પરંતુ જો ખેડૂત આંદોલનની વાત કરીએ તો સરકાર અને ખેડૂતો વચ્ચે એક 26 જાન્યુઆરીની ઘટના પછીના એક લાંબા સમય પછી પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની વાતચીત શરૂ થઈ નથી.