ટૂલકિટ મામલામાં હવે ભાજપ નેતા સંબિત પાત્રાને રાયપુર પોલીસે નોટિસ મોકલી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ નોટિસ સંબિત પાત્રા સાથે પુછપરછ માટે મોકલવામાં આવી છે. નોટિસમાં સંબિત પાત્રાને રવિવારે સાંજે 4 વાગ્યે રાયપુરના થાના સિવિલ લાઈનમાં વ્યક્તિગત અથવા વીડિયો કોન્ફ્રરસિંગ દ્વારા હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યાં જ નોટિસનું પાલન ન કરવા પર કાર્યવાહી કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
એક સ્થાનીક એનએસપુઆઈ નેતા આકાશ શર્મા દ્વારા સંબિત પાત્રા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કર્યા બાદ નોટિસ મોકલવામાં આવી છે. જણાવી દઈએ કે પાત્રાએ 18 મેના રોજ એક ટ્વીટ પોસ્ટ કર્યુ હતું જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસ ટૂલકિટ મોદી સરકારને બદનામ કરી રહી છે.
સંબિત પાત્રાએ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી સવારે જે ટ્વીટ કરે છે, તે પણ આ જ ટૂલકિટનો એક ભાગ છે. જેના દ્વારા સરકારને બદનામ કરવામાં આવે છે. માટે જાણીજોઈને કુંભને લઈને કમેન્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે ઈદ પર ચુપ્પી સાધવામાં આવી છે. ત્યાં જ કોંગ્રેસે ભાજપ નેતા પર બદનામ કરવાના નકલી દસ્તાવેજોના પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો છે.
રાયપુરમાં દાખલ કરવામાં આવી છે FIR
જણાવી દઈએ કે છત્તીસગઢ NSUIની તરફથી પૂર્વ મુખ્યમંત્રી રમન સિંહ અને બીજેપી પ્રવક્તા સંબિત પાત્રા વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે. ટૂલકિટ મામલામાં એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ આકાશ શર્માએ રાયપુરના સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જ્યાર બાદ પોલીસે ફરિયાદના આધાર પર FIR દાખલ કરી અને હવે પુછપરછ માટે નોટિસ મોકલી છે.
શું છે આરોપ?
જાણકારી અનુસાર FIRમાં એઆઈસીસી, IT રિસર્ચ સેલના લેટરહેટને નકલી બતાવા અને તેના પર ખોટી સામગ્રી ઈન્ટરનેટ અને મીડિયા પર શેર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પ્રદેશ અધ્યક્ષ આકાશ શર્માએ કહ્યું કે સંબિત પાત્રાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી કોંગ્રેસ પાર્ટીના નકલી લેટરહેડને શેર કર્યું છે. જ્યારે પ્રદેશમાં સાંપ્રદાયિક હિંસા ભડકવાના પ્રયત્ન ડોક્ટર રમન સિંહ કરી રહ્યા છે. તેને જોતા અમે ફરિયાદ દાખલ કરી હતી જેના પર FIR દાખલ કરવામાં આવી. આઈપીસી કલમ 504,505(1)BC, 469,188 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.