જો વાતાવરણ સ્વચ્છ રહ્યું તો રવિવારના (28 જુલાઇ)ના રોજ સંપૂર્ણ રાત્રીએ તૂટતા તારાને જોવાનો મોકો મળશે. રવિવારના રોજ રાત્રીએ આજનાં દિવસે ડેલ્ટા એક્વેરિડ ઉલ્કાપાતનો સુંદર નજારો જોવા મળી શકે છે. રવિવારની રાત ઉલ્કાપાત ચરમસીમાએ રહેશે કે જે રાત્રીનાં 12 વાગ્યાથી સવાર સુધી જોઇ શકાશે.
જો વાતાવરણ સ્વચ્છ રહ્યું તો રવિવારના (28 જુલાઇ)ના રોજ સંપૂર્ણ રાત્રીએ તૂટતા તારાને જોવાનો મોકો મળશે. રવિવારના રોજ રાત્રીએ આજનાં દિવસે ડેલ્ટા એક્વેરિડ ઉલ્કાપાતનો સુંદર નજારો જોવા મળી શકે છે. રવિવારની રાત ઉલ્કાપાત ચરમસીમાએ રહેશે કે જે રાત્રીનાં 12 વાગ્યાથી સવાર સુધી જોઇ શકાશે.
એમાંય મહત્વની વાત તો એ છે કે હાલનાં દિવસોમાં અમાસ નજીક હોવાને કારણ ચંદ્રની રોશની ખૂબ ઓછી છે ત્યારે એવામાં આ ઉલ્કાપાત વધારે સ્પષ્ટ અને ચમકદાર દેખાશે. ઉલ્કાપાત એક્વેરિડ નક્ષત્રની દિશાએથી જોવા મળશે. જેમાં માર્સડેન અને ક્રૈચ ધૂમકેતુઓના કણ વાયુમંડળમાં પ્રવેશ બાદ ઘર્ષણથી પ્રજ્વલિત થઇને ઉલ્કાપાકનો નજારો પ્રસ્તુત થશે.
12 જુલાઇના રોજ શરૂ થઇ ચૂક્યો છે ઉલ્કાપાતઃ
આ ઉલ્કાપાક 12 જુલાઇનાં રોજ શરૂ થઇ ચૂક્યો છે. 23 ઑગસ્ટ સુધી ચાલશે પરંતુ 28 જુલાઇની રાત્રીએ તે પોતાના ચરમ પર હશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, હાલનાં દિવસોમાં પરસીડ ઉલ્કાપાત પણ ચાલી રહેલ છે. જેનો સમય 17 જુલાઇથી 24 ઑગસ્ટ સુધી છે. આ 12 ઑગસ્ટનાં રોજ ચરમ પર રહશે, પરંતુ તે દિવસોમાં પૂર્ણિમાનો સમય હોવાને કારણ તે સ્પષ્ટ રીતે જોઇ નહીં શકાય.
- ડૉ. અનિલ પાંડે, પૂર્વ નિર્દેશક અને ખગોળ વૈજ્ઞાનિક, આર્યભટ્ટ શોધ અને પ્રેક્ષણ વિજ્ઞાન સંસ્થાન