શનિદેવ વ્યક્તિને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. જો કે જ્યારે શનિદેવ ગુસ્સે થાય છે ત્યારે વ્યક્તિના જીવનમાં સાડાસાતી શરૂ થઈ જાય છે.
શનિદેવ વ્યક્તિને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે
શનીદેવના કષ્ટોમાંથી મુક્તિ મેળવવા માટે સમયાંતરે અમુક ઉપાય કરવા જોઈએ
આવતીકાલે આ 5 રાશિના લોકોએ ખાસ કરવો જોઈએ આ ઉપાય
જીવનમાં થનારી મોટાભાગની ઘટનાઓ શનિ મહારાજ સાથે જોડવામાં આવે છે. જીવનમાં જો કંઈપણ ખરાબ થાય તો ગમે એ વ્યક્તિના મોઢામાંથી નીકળે છે કે શનિની સાડા સાતી ચાલી રહી છે. જો કે હંમેશા એવું નથી હોતું. શનિદેવ વ્યક્તિને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. જો કે જ્યારે શનિદેવ ગુસ્સે થાય છે ત્યારે વ્યક્તિના જીવનમાં સાડાસાતી શરૂ થઈ જાય છે.
શનિની સાડાસાતી ચાલતી હોય છે ત્યારે જીવનમાં ઘણી પરેશાનીમો સામનો કરવો પડી શકે છે. શનિના કારણે થતા આ કષ્ટોમાંથી મુક્તિ મેળવવા માટે સમયાંતરે અમુક ઉપાય કરવા જોઈએ. જણાવી દઈએ કે આવતીકાલે શનિવાર છે અને આવતીકાલનો શનિવાર ઘણો ખાસ છે. આવતીકાલનો શનિવાર મગસર મહિનાનો પહેલો શનિવાર છે અને આવતી કાલે શનીદેવને પ્રસન્ન કરવાના ઘણા સંયોગો બની રહ્યા છે. ખાસ કરીને આ 5 રાશિના લોકોએ શનિદેવને પ્રસન્ન કરવા માટે આ ખાસ સંયોગનો લાભ લેવો જોઈએ.
આવતીકાલે આ 5 રાશિના લોકોએ ખાસ કરવો જોઈએ આ ઉપાય
તમને જણાવી દઈએ કે હાલમાં ધનુ, મકર અને કુંભ રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે અને મિથુન એમજ તુલા રાશિ પર શનિની દિનદશા ચાલી રહી છે. આવી સ્થિતિમાં આ પાંચ રાશિઓ પર શનિની ખાસ નજર છે તો આવા માં માગસર મહિનાના પહેલા શનિવારે શનિદેવ માટે કેટલાક ઉપાય કરવા જોઈએ. આ સાથે જ આવતીકાલના આ શનિવારે ભગવાન વિષ્ણુ, મા લક્ષ્મી ઉપરાંત શનિદેવની પૂજાનું પણ ઘણું મહત્વ છે.
- જે 5 રાશિઓ પર શનિની સાડાસાતી અથવા દિનદશા ચાલી રહી છે એમને શનિવારે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી શનિની પરેશાનીઓમાંથી રાહત મળશે.
- આ સિવાય શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ શનિની પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે છે
- શનિવારે જરૂરિયાતમંદોને ભોજન અને કપડાંનું દાન કરવાથી અને બેઘર લોકોને ભોજન આપવાથી પરેશાનીઓમાંથી રાહત મળે છે
- શનિવારે શનિ સંબંધિત લોખંડ, કાળા તલનું દાન કરવું જોઈએ
- ઉપરાંત લાચાર અને વૃદ્ધ લોકોને પણ મદદ કરો.