આવતીકાલે એટલે કે 25 ઓગસ્ટના રોજ 1500 વર્ષ બાદ ગુરુ પુષ્ય પર દુર્લભ સંયોગ બની રહ્યો છે. ખરીદી માટે આ દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
25 ઓગસ્ટ એટલે કે આવતીકાલે બની રહ્યો છે ગુરુ પુષ્ય યોગ
1500 વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ
ખરીદી માટે ઉત્તમ દિવસ
25 ઓગસ્ટ એટલે કે આવતીકાલે બની રહ્યો છે ગુરુ પુષ્ય યોગ
જ્યોતિષ શાસ્ત્રમાં પુષ્ય નક્ષત્રને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને જ્યારે ગુરુવારે પુષ્ય નક્ષત્ર રહે તો તેને વધારે શુભ માનવામાં આવે છે. આ સમયે ખરીદવામાં આવેલ વસ્તુઓ લાંબા સમય સુધી ઉપયોગમાં આવે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. કાલે 25 ઓગસ્ટ 2022 એટલે કે ગુરુવારે પુષ્ય નક્ષત્ર છે. સાથે જ આ અવસર પર અન્ય શુભ યોગ પણ બની રહ્યા છે. આવો દુર્લભ સંયોગ 1500 વર્ષ બાદ બની રહ્યો છે. આ કારણએ આ દિવસ ખરીદી માટે અત્યંત શુભ છે.
ગુરુ પુષ્ય પર દુર્લભ સંયોગ
પંચાંગ અનુસાર, પુષ્ય નક્ષત્ર 24 ઓગસ્ટ એટલે કે બુધવારે બપોરે 1:38થી 25 ઓગસ્ટ એટલે કે ગુરુવારે સાંજે 4:50 સુધી રહેશે. આ દરમિયાન, સર્વાર્થસિદ્ધિ અને વરિયાન જેવા અત્યંત શુભ યોગ પણ રહેશે. આ ઉપરાંત, શુભકર્તરી, વરિષ્ઠ, ભાસ્કર, ઉભયચારી, હર્ષ, સરળ અને વિમલ નામના રાજયોગ પણ બનશે. આ ઉપરાંત, સૂર્ય પોતાની જ રાશિ સિંહ, ચંદ્ર સ્વરાશી કર્કમાં, બુધ સ્વરાશી કન્યામાં અને શનિ સ્વરાશી મકરમાં રહેશે. આ મુખ્ય ગ્રહોનાં પોતાની જ રાશિમાં રહેવા અને આ દરમિયાન ગુરુ પુષ્ય રહેવાનો દુર્લભ સંયોગ દોઢ હજાર વર્ષો પછી બન્યો છે. આ કારણે આ દિવસ ખરીદી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ગુરુ પુષ્યમાં કરો આ શુભ કામ
ગુરુ પુષ્યના શુભ સંયોગમાં સંપત્તિ - ગાડી ખરીદવી શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત જ્વેલરી, કપડાં અને તાંબા - પીતલણી વસ્તુઓ ખરીદવી પણ શુભ માનવામાં આવે છે. ઘર કે ઓફિસનું ઉદ્ઘાટન, નવા કામની શરૂઆત કરવા અને લેવડ દેવડ માટે આ સમય અત્યંત શુભ રહેશે.