પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં ટોમેટો ફ્લૂ નામની બીમારી જોવા મળી હતી. મે મહિનામાં ભારતમાં કેરળમાં આ બીમારીને લગતા કેસ પણ મળ્યા હતા. જાણો આ વિશે વિગતવાર
પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં જોવા મળી હતી ટોમેટો ફ્લૂ નામની બીમારી
મે મહિનામાં કેરળમાં મળ્યા હતા કેસ
બીમારીમાં જીવનું જોખમ નથી
પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં જોવા મળી હતી ટોમેટો ફ્લૂ નામની બીમારી
ભારતમાં ટોમેટો ફ્લૂ આજકાલ ચર્ચામાં છે આનએ લોકો હેરાન છે કે અત્યાર સુધી કોરોનાથી જીવ નથી છૂટયો અને આ નવી બીમારી આવી ગઈ. કેરળમાં આ ફ્લૂથી ઘણા સંક્રમણો આવ્યા બાદ હડકંપ મચ્યો છે. આવો જાની આ ટોમેટો ફ્લૂ, તેના લક્ષણ અને સાથે જ મૃત્યુદર કેટલો છે. ભારતમાં આ ફ્લૂનો ઈલાજ શું છે આનએ કયા પ્રકારે આ ફ્લૂથી બચી શકાય છે.
ફૂટ એન્ડ માઉઠ સાથે સંબંધિત આ ઇન્ફેકશનને ટોમેટો ફ્લૂ ફીવર આનએ ટોમેટો ફ્લૂ કહેવામાં આવે છે. અત્યાર સુધી ભારતમાં આ બીમારીનાં 82 મામલાઓ સામે આવ્યા છે. આ મામલાઓ છ મેનાં રોજ કેરળનાં કોલ્લમ જિલ્લામાંથી મળ્યા હતા. એક રિપોર્ટ અનુસાર, આ બધા બાળકોની ઉંમર પાંચ વર્ષથી ઓછી છે. આ બીમારીનું નામ ભલે ટોમેટો ફ્લૂ હોય, પણ તેનું ટામેટાં સાથે કંઇ લેવાદેવા નથી.
શું છે આ બીમારીનાં લક્ષણ?
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ બીમારીમાં સ્કીન પર લાલ નિશાન પાડવા લાગે છે આનએ મોટા મોટા દાણા પણ જોવા મળે છે. કહેવામાં આવે છે કે આ પ્રકારના લક્ષણ કોરોના, ચિકનગુનીયા, ડેન્ગ્યૂ આનએ મંકીપોકસ સંક્રમણમાં પણ જોવા મળે છે. કદાચ લાલ ફફોલા પડવાને કારણે આ બીમારીનું નામ ટોમેટો ફ્લૂ રાખવામાં આવ્યું છે. ટોમેટો ફ્લૂ એક ચેપી રોગ છે, જે એકથી બીજા બાળકમાં પણ ફેલાય શકે છે. અન્ય લક્ષણોની વાત કરી તો તેમાં ખૂબ જ તાવ, સાંધામાં સોજો, ડિહાઇડ્રેશન અને થાક પણ સામેલ છે.
બીમારીમાં જીવનું જોખમ નથી
આ બીમારીની ખાસ વાત એ છે કે આ પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને પ્રભાવિત કરી રહી છે. આ કારઅને બાળકોની સ્કીન પર બળતરા આનએ ખંજવાળ આવે છે. આ ઉપરાંત, આ બીમારીથી સંક્રમિત થવા પર રોગી બાળકને ખૂબ જ તાવ પણ આવે છે. જોકે આ બીમારીમાં જીવનું જોખમ નથી.
ભારતમાં શું છે સ્થિતિ?
રિપોર્ટ અનુસાર, મે મહિનામાં કેરળથી આ ફ્લૂનાં ફેલાવાની શરૂઆત થઈ હતી. કેરળમાં આ બીમારી ફેલાવાથી તમિલનાડુ આનએ કર્ણાટકમાં પણ અલર્ટ થઈ ગયું છે. જ્યારે ઓડિશાનાં ભુવનેશ્વરમાં ક્ષેત્રીય ચીકીત્સા અનુસંધાન કેન્દ્રમાં 26 બાળકો આ બીમારીથી સંક્રમિત થયા હોવાની જાણકારી મળી છે. રાહતની વાત એ છે કે દેશનાં અન્ય કોઈ ક્ષેત્રોમાં આ બીમારીનાં કેસ મળ્યા નથી.