ઇડર તાલુકાના નરસિંહપુરા ગામમાં રાજકોટનાં કે. કે. ટ્રેડીંગની દુકાન ધરાવતા વેપારી દ્વારા નરસિંહ પુરા ગામના ખેડૂતોની મગફળી વેપારી પાસે લાયસન્સ ન હોવા છતાં ખરીદી હતી.
જેની જાણ APMCનાં ઇન્સ્પેક્ટરને થતા વેપારીની આઈશર રોકી તપાસ કરવામાં આવી હતી. વેપારીએ ખેડૂતોને બોલાવી ઇન્સ્પેક્ટર અને સિક્યુરીટી ગાર્ડ પર હુમલો કર્યો હતો.
જેમાં ઇન્સ્પેક્ટરને પગ અને માથાનાં ભાગે ઈજાઓ થઇ હતી. ત્યારબાદ બન્નેને નરસિંહપુરા ગામની સેવા સહકારી મંડળીમાં ૨ કલાક સુધી ગોધી રાખવામાં આવ્યા હતાં.
મામલતદાર અને પોલીસે મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનાથી પ્રશ્નો એ થાય કે વેપારી દ્વારા સેજ જી.એસ.ટી અને એક્ષાઇઝ ડ્યુટી બચાવવા આવી રીતે ગેરકાયદેસર ખરીદી કરવામાં આવી હતી.
જેથી સરકાર અને એપીએમસીને પણ આર્થિક નુકશાન થઇ રહ્યું છે. વેપારી હુમલો કરી આઈશર ગાડી લઇ ભાગી છુટ્યો હતો. .હાલ ઇન્સ્પેક્ટર દ્વારા પોલીસ ફરિયાદ નોધાવવાની તજવીજ હાથ ધરી છે.