અમદાવાદઃ વિશ્વ હિંદુ પરિષદનાં પૂર્વ અધ્યક્ષ પ્રવિણ તોગડિયા આવતી કાલથી આમરણાંત ઉપવાસ પર બેસવા જઈ રહ્યાં છે. ત્યારે હવે તોગડિયાનાં આ આંદોલનને અખિલસ વિશ્વ ગૌ-સંવર્ધન ટ્રસ્ટનું ભારે સમર્થન મળ્યું છે. વિશ્વ ગૌ-સંવર્ધન ટ્રસ્ટનાં અવધુત રામાયણીએ આજે પ્રવીણ તોગડિયાની મુલાકાત કરી હતી અને આ ઉપવાસ આંદોલનને સમર્થન આપ્યું હતું.
આ સાથે જ એવો દાવો પણ કર્યો છે કે આવતી કાલે તેઓનાં આ ઉપવાસ આંદોલનમાં દેશભરમાંથી ઘણી મોટી સંખ્યામાં મહંતો- સંતો પણ જોડાશે અને આ તમામની એક જ માંગ હશે કે ગૌ-માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે. જો કે સરકાર તેમની માગણીઓ નહીં સ્વીકારે તો તેના માઠા પરિણામ ભોગવવાની તૈયારી પણ રાખે એવી ચીમકી પણ અપાઈ છે.
ઉલ્લેખનીય છે કે ડો.પ્રવીણ તોગડિયાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે "તેઓ કરોડો હિંદુઓ અને ખેડૂતોની માંગણીઓને લઇ ૧૭મી એપ્રિલથી આવતી કાલનાં રોજથી અમદાવાદમાં અચોક્કસ મુદ્દતનાં આમરણાંત ઉપવાસ પર ઉતરવાનાં છે.
તેમજ વધુ નિવેદન આપતાં એમ પણ જણાવ્યું હતું કે કેટલાંય સમયથી વિશ્વ હિંદુ પરિષદની ચાલી આવતી મારી યાત્રા હવે જબરદસ્તી પૂર્ણ કરાવવા બદલ તેમજ કોકજેજીને લાવવા બદલ હું ધન્યવાદ પાઠવું છું."