PM મોદી દ્વારા 'વંદે ભારત એક્સપ્રેસ' અને 'મેટ્રો ટ્રેન'ને લીલીઝંડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાંચમા નોરતે અમદાવાદ અને ગાંધીનગરને બે ટ્રેનોની ભેટ આપી છે. જેમાં PM મોદીએ ગાંધીનગરથી 'વંદે ભારત એક્સપ્રેસ'ને લીલીઝંડી આપી હતી જ્યારે અમદાવાદથી આજે મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી હતી. ત્યારે PM મોદીએ અમદાવાદના થલતેજના AES ગ્રાઉન્ડ પરથી આ બંને ટ્રેનોનું ઉદ્ઘાટન કર્યું છે.
હું એક વિનંતી કરું છું : PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની જનસભામાં સંબોધન દરમિયાન વિનંતી કરતા જણાવ્યું હતું કે, મેટ્રોમાં પ્રવાસ કરતા વિદ્યાર્થીઓને હું એક રિકવેસ્ટ કરું છું કે, આ મેટ્રો સ્ટેશન કેવી રીતે આકાર પામ્યું. ખોદકામ કેવી રીતે કર્યું, ટનલ કેવી રીતે બની આ તમામ બાબતો જાણે. શિક્ષણ વિભાગને પણ વિનંતી કરું છું કે, વિદ્યાર્થીઓને માત્ર ટ્રેનમાં જ મુસાફરી ન કરાવતા આ મેટ્રો આકાર કેવી રીતે પામી તેની જાણકારી પણ મેળવે.
વડાપ્રધાન મોદીએ અમદાવાદથી સંબોધન કરતા જણાવ્યું કે, 'વંદે ભારત ટ્રેન કરતાં એરપ્લેનમાં 100 ગણો અવાજ થાય છે. હવે જેમને પ્લેનમાં જવાની ટેવ છે તેઓ હવે ટ્રેનમાં જશે.'
આજે અમદાવાદમાં મેટ્રો ટ્રેનના પ્રથમ ફેઝને શરૂ કરવામાં આવ્યો છે જે વસ્ત્રાલથી થલતેજ સુધીનો છે. પરંતુ નજીકના ભવિષ્યમાં જ મેટ્રો ટ્રેનનો બીજો ફેઝ ગાંધીનગર સુધીનો રહેશે. તો વંદે ભારત ટ્રેનનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, વંદે ભારત ટ્રેનની શરૂઆત થતાં ગણતરીના કલાકોમાં જ મુંબઈ પહોંચાડશે.
અમને કામ આપો, અમે આનાથી વધુ સારું બનાવીશું હજી : PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનના નિર્માણ કાર્યનો એક કિસ્સો વર્ણવતા જણાવ્યું હતું કે, જ્યાં આ ટ્રેનનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યાના ઈલેક્ટ્રીશિયન અને અન્ય લોકો સાથે મેં વાત કરી ત્યારે તેઓ મને કહેતા કે સાહેબ અમને બસ કામ આપો, અમે આનાથી સારું હજી તૈયાર કરીશું.
PM મોદીએ કહ્યું કે, 'આવો કાર્યક્રમ મે પહેલીવાર જોયો છે. 100-100 સલામ નવરાત્રીમાં આખી ગરબા થતાં હોય, તેમ છતાં આવા તડકામાં આટલો મોટો જનસાગર મેં પહેલીવાર જોયો છે ભાઈ, આવો મોટો કાર્યક્રમ અમદાવાદે કરી બતાવ્યો હોય તેવો મારો પહેલો અનુભવ છે.'
PM મોદીએ થલતેજથી વસ્ત્રાલ રૂટ પર મેટ્રો ટ્રેન અને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન કરી દીધું છે. મેટ્રો ટ્રેન કે જેના દ્વારા હવે 40 મિનિટમાં પહોંચાશે.
વડાપ્રધાન મોદીના હસ્તે થલતેજથી વસ્ત્રાલ રૂટ પર મેટ્રો રેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હાલમાં PM મોદી થલતેજના AES ગ્રાઉન્ડ ખાતે જાહેરસભાને સંબોધન કરવામાં આવી રહ્યું છે.
PM મોદીએ મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપ્યા બાદ મેટ્રો ટ્રેનમાં સવાર થઇને થલતેજના AES ગ્રાઉન્ડ ખાતે સભાસ્થળે પહોંચ્યા. જ્યાં તેઓ જાહેર જનસભાને સંબોધશે. હાલમાં CM ભૂપેન્દ્ર પટેલનું સંબોધન શરૂ છે. CM ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, 'આજે અમદાવાદના નાગરિકો માટે અવસરનો દિવસ છે. ડબલ એન્જિન સરકારના કારણે ગુજરાતને વિકાસની રફ્તાર મળી છે, જે સાબરમતી તરફ ભાગ્યે જ કોઈ જોતું હતું તે હવે રિવરફ્રન્ટના કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.'
દિવાળી પહેલાં અમદાવાદીઓને વડાપ્રધાન તરફથી 'મેટ્રો ટ્રેન'ની મોટી ભેટ અર્પણ કરવામાં આવી છે. ત્યારે હવે PM મોદી કાલુપુરથી થલતેજ સુધી મેટ્રો ટ્રેનની સફર કરશે. ત્ચાર બાદ દૂરદર્શન ગ્રાઉન્ડમાં વડાપ્રધાન જાહેરસભાને સંબોધન કરશે. તમને જણાવી દઇએ કે, 2જી ઓક્ટોબરથી નાગરિકો માટે મેટ્રો ટ્રેન શરૂ કરાશે.
Gujarat | PM Narendra Modi accompanied by CM Bhupendra Patel travels on Ahmedabad metro rail from Kalupur station to Doordarshan Kendra station pic.twitter.com/9lJwCi6beU
PM મોદીના હસ્તે અમદાવાદીઓને દિવાળી પૂર્વે મોટી ભેટ અર્પણ કરવામાં આવી છે. PM મોદીએ 'વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન'ને લીલીઝંડી આપ્યા બાદ હવે અમદાવાદ ખાતે 'મેટ્રો ટ્રેન'ને લીલી ઝંડી આપી દીધી છે.
Gujarat | PM Narendra Modi inaugurates Phase I of the Ahmedabad Metro rail project pic.twitter.com/P1ehnjEb80
અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે
પૂર્વ-પશ્ચિમ તેમજ ઉત્તર-દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે
ફેઝ-1માં 32 સ્ટેશનનો સમાવેશ કરાયો
પૂર્વ-પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે
જે થલતેજથી વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે, જેમાં 17 સ્ટેશન છે
ઉત્તર અને દક્ષિણ કોરિડોર 18.87 કિલોમીટરનો રહેશે
જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન આવે છે
21 કિ.મી. લાંબો કોરિડોર નદીની ઉપર તેમજ શહેરના નીચેથી પણ થાય છે પસાર
શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ અને કાંકરિયા પૂર્વમાં બહાર નીકળશે
શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિમીનો રૂટ
આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર, કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે
હાલ વાહન લઇને શાહપુરથી કાંકરિયા જવું હોય તો 30 મિનિટ જેટલો સમય લાગે છે
મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે
PM મોદીના હસ્તે આજે 'વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન'ને અપાઇ લીલીઝંડી
ગાંધીનગરથી કાલુપુર સુધી 'વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન'માં મુસાફરી કરતી વેળાએ વડાપ્રધાન મોદી હળવા મૂડમાં જોવા મળ્યા. તેઓ ભારતીય રેલવેના પરિવારજનો સાથે વાતચીત કરતા જોવા મળ્યા.
Gujarat | PM Narendra Modi travels onboard Vande Bharat Express train from Gandhinagar to Ahmedabad
People from different walks of life, including those from the Railways family, women entrepreneurs and youngsters are his co-passengers on this journey, says PMO. pic.twitter.com/9Ccf2oYQBy
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધીનગરથી 'વંદે ભારત ટ્રેન'ને લીલીઝંડી આપી દેવાઇ છે. 'વંદે ભારત ટ્રેન'ને લીલીઝંડી આપ્યા બાદ વડાપ્રધાન મોદી ગાંધીનગરથી અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશને જવા રવાના.
Gujarat | Prime Minister Narendra Modi flags off the Gandhinagar-Mumbai Central Vande Bharat Express train at Gandhinagar pic.twitter.com/QwnmLvYmfE
ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે સ્લાઇડિંગ ફૂટસ્ટેપ્સ
ટચ ફ્રી સ્લાઇડિંગ ડોરની સાથે સ્વચાલિત પ્લગ દરવાજાઓથી પણ સજ્જ
ACના મોનિટરિંગ માટે કોચ કંટ્રોલ મેનેજમેન્ટ સિસ્ટમ
કંટ્રોલ સેન્ટર તેમજ મેઇન્ટેનન્સ સ્ટાફની સાથે કોમ્યુનિકેશન
ફીડબેક માટે GSM / GPRS જેવી આધુનિક ટેક્નીકનો ઉપયોગ કરાયો છે
દિવ્યાંગ મુસાફરો માટે વિશેષ પ્રકારના શૌચાલય
સામાન્ય મુસાફરો માટે ટચ-ફ્રી એમેનિટિસવાળા બાયો વેક્યુમ ટોયલેટ્સની વ્યવસ્થા
અંધ મુસાફરોની સુવિધા માટે સીટોમાં બ્રેલ લિપિની સાથે સીટની સંખ્યા પણ કોતરવામાં આવી છે જેથી આવા મુસાફરો પોતાની સીટ્સ સુધી સરળતાથી પહોંચી શકે.
ટ્રેનમાં વધુ સારા ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-II સેફ્ટી ઇન્ટિગ્રેશન સર્ટિફિકેશન
કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત 4 પ્લેટફોર્મ સાઇડ કેમેરા
તમામ કોચમાં એસ્પિરેશન આધારિત ફાયર ડિટેક્શન, સપ્રેશન સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ
શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા ઉપાયો
આયાતી ટ્રેનના અડધા ખર્ચમાં તૈયાર થઈ જાય છે વંદે ભારત ટ્રેન
ટ્રેનની મુખ્ય સિસ્ટમ્સને ભારતમાં ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવી છે
વંદે ભારત ટ્રેનથી 6 કલાકમાં મુંબઈ પહોંચી શકાશે
જાણો PM મોદીના ગુજરાત પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદીના આજના પ્રવાસને લઇને અપડેટ: PM મોદીના કાર્યક્રમમાં વધુ એક કાર્યક્રમ ઉમેરાયો છે. વંદે ભારત ટ્રેનના ઉદ્ઘાટન પહેલા PM મોદી ગાંધીનગર ખાતે દાંડી કુટીરની મુલાકાત લેશે. ત્યાર બાદ PM મોદી આજે ગાંધીનગર અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચેની પ્રથમ ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનનું (Vande Bharat Express) નું લોકાર્પણ કરશે. ગાંધીનગર (Gandhinagar) રેલવે સ્ટેશનથી સેમી હાઈસ્પીડ ટ્રેનને PM મોદી લીલીઝંડી આપશે. વડાપ્રધાન મોદી ગાંધીનગરથી કાલુપુર સ્ટેશન સુધી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરશે. તેઓ કાલુપુરથી રૂ. 12,925 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું એટલે કે ફેઝ-1નું ઉદ્ઘાટન કરશે. આજના દિવસમાં વડાપ્રધાન પાંચથી વધુ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
વંદે ભારત ટ્રેનમાં પેસેન્જરને આપવામાં આવતી સુવિધા
GSM અથવા GPRS
ટચ-ફ્રી સ્લાઇડિંગ ડોર
સીસીટીવી કેમેરા
પેસેન્જર ઇન્ફોર્મેશન સેન્ટર
વેક્યૂમ બાયોટોયલેટ્સ
સ્મોકિંગ ડિટેક્શન એલાર્મ
180 ડિગ્રી રિવોલ્વિંગ ચેર
વાઇફાઈની સુવિધા
દિવ્યાંગ માટે વિશેષ ટોયલેટ્સ
અમદાવાદમાં મેટ્રો ટ્રેનના 2 રૂટની કરાવશે શરૂઆત
અમદાવાદને પણ આજે PM મોદી મોટી ભેટ આપશે. જેના લીધે અમદાવાદમાં ટ્રાન્સપોર્ટેશન વધુ સરળ બનશે. PM મોદી આજે અમદાવાદમાં મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે. શહેરના કાલુપુર-થલતેજ અને ગ્યાસપુર-મોટેરા રૂટની શરૂઆત કરાવશે. PM મોદી કાલપુરથી મેટ્રો ટ્રેનમાં થલતેજ સુધી મુસાફરી કરશે. AES ગ્રાઉન્ડ પર PM મોદી સભાને સંબોધન કરશે. ત્યાર બાદ આજે PM મોદી અંબાજીની પણ મુલાકાત લેશે. PM મોદી આજે અંબાજી મંદિરમાં દર્શન કરશે. PM મોદી અંબાજી મંદિરે માના દર્શન કરી ગબ્બરે પણ જ્યોતના દર્શન કરશે.
બનાસકાંઠામાં રૂ. 7908 કરોડના વિકાસ કાર્યોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ
PM મોદી અંબાજીથી અનેક વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. બનાસકાંઠામાં રૂ. 7908 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. 61,805 આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. રૂ.1967 કરોડના ખર્ચે આવાસનું પણ ખાતમુહૂર્ત કરશે. રૂ.124 કરોડના ખર્ચે તૈયાર થનારા અંબાજી બાયપાસ રોડનું ખાતમુહૂર્ત કરશે. બનાસકાંઠાના મીઠા-થરાદ-ડીસા-લાખણી રોડનું પણ PM મોદી લોકાર્પણ કરશે. આ સિવાય તારંગા હિલથી આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઇનનું PM મોદી ભૂમિપૂજન કરશે. રૂ.2798 કરોડના ખર્ચે બ્રોડગેજ લાઇનનું નિર્માણ કરવામાં આવશે. ડીસા એરફોર્સ સ્ટેશનમાં રનવે ઇન્ફ્રાન્ટ્રક્ચર સંબંધિત કામનું ભૂમિપૂજન કરશે. PM મોદી અંબાજીમાં આજે જાહેરસભાને પણ સંબોધશે. ત્યાર બાદ સાંજના 7 વાગ્યે PM મોદી અંબાજીમાં પૂજા કરશે. PM મોદી ગબ્બર ખાતે મહાઆરતીમાં પણ ભાગ લેશે. PM મોદી ગૌવંશોના નિભાવ ખર્ચ માટેની યોજનાની પણ શરૂઆત કરાવશે. આ સાથે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો પ્રારંભ કરાવશે. PM મોદી અંબાજીથી આ યોજનાનો પ્રારંભ કરાવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે વર્ષ 2022-23ના બજેટમાં આ અંગે જાહેર કરી હતી.