અરવલ્લીના મોડાસાના ખંભીસર ગામમાં એક દલિત પરિવારના યુવકના લગ્ન દરમિયાન વરઘોડાના લઈને વિવાદ સામે આવ્યો હતો. ત્યારે હવે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ મામલે પત્રકાર પરિષદ યોજી હતી. જીગ્નેશ મેવાણી પત્રકાર પરિષદ યોજીને દલિત પરિવાર સાથે થયેલા અન્યાયની માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, મોડાસાના ખંભીસર ગામમાં દલિત પરિવારના યુવકના લગ્ન દરમિયાન તેના વરઘોડાને અટકાવ્યો હતો. ત્યારબાદ બે જૂથ આમને સામને આવી જતા પથ્થરમારો પણ થયો હતો. ત્યારબાદ પોલીસ બંદોબસ્ત હેઠળ ફરી એક વાર વરઘોડો નીકળ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને જીગ્નેશ મેવાણી માહિતી આપી.