આજનું પંચાંગ
13 05 2022 શુક્રવાર
માસ વૈશાખ
પક્ષ શુક્લ
તિથિ બારસ (સાંજે 05.26 પછી તેરસ)
નક્ષત્ર હસ્ત (સાંજે 06.47 પછી ચિત્રા)
યોગ વજ્ર (બપોરે 03.39 પછી સિદ્ધિ)
કરણ બાલવ (સાંજે 05.26 પછી કૌલવ)
રાશિ કન્યા (પ,ઠ,ણ)
---------------------- દેવ દર્શન - પિપલાણા સ્વામીનારાયણ મંદિર
જૂનાગઢ જિલ્લાનાં માણાવદર તાલુકાનું નાનકડું એવું ગામ પીપલાણા, ભગવાન સ્વામિનારાણના પવિત્ર જીવન ચરિત્ર સાથે જોડાયેલું ગામ છે પીપલાણા. સહજાનંદ સ્વામિએ આ ગામમાં પધારી તેમની ગુજરાત યાત્રામાં સૌથી વધું સમય રોકાઇને દિક્ષા ગ્રહણ કરી સોરઠની આ ભૂમિને પાવન કરી છે. ભગવાન સ્વામિનરાયણનો જન્મ ઉત્તર પ્રદેશનાં છપૈયામાં થયો હતો. માત્ર 11 વર્ષની નાનકડી વયે ઘરનો ત્યાગ કરી ભારતભરમાં તિર્થયાત્ર કરી ભારતભ્રમણનાં 12 હજાર કિલોમીટરની યાત્રા બાદ પિપલાણા ગામે પધાર્યા હતા. પીપલાણામાં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
પિપલાણામાં સંવત 1857માં ભગવાન સ્વામિનારાયણે ઉદ્વાત્તાર રામાનંદન સ્વામી પાસેથી દિક્ષા ગ્રહણ કરી અને સ્વામિનારાયણ, સહજાનંદ સ્વામિ અને નારાયણમુની આમ ત્રણ નામ ધારણ કર્યા હતા. આ જગ્યાને આજથી 62 વર્ષ પૂર્વે બ્રહ્મ સ્વરૂપ જોગી સ્વામીએ ચેતનવંતી બનાવી હતી. ભગવાન સ્વામિનરાયણનાં જન્મસ્થળ છપૈયા જેટલું જ મહત્વ સ્વામિનારાયણ સંપ્રદાયનાં ઉદ્દભવ સ્થાન પિપલાણા દિક્ષાભુમિનું છે.
શુભાંક - આજનો શુભ અંક છે 4
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સીલ્વર અને દૂધીયો
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12-05 થી 12-48 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 11-06 થી બપોરે 12-27 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)
--------------------------------------- મેષ (અ.લ.ઈ.)
દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે
અગત્યના કામકાજમાં સાવધાની રાખવી
કારણ વગરની ચિંતાઓથી દૂર રહો
આવક-જાવક સમાંતર રહેશે