આજે સોમનાથ મંદિરનો 69મો સ્થાપના દિવસ છે. જેને લઈને સોમનાથ મંદિરમાં સોમનાથ મહાદેવના શૃંગાર સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મહાપુજા, ધ્વજારોહણ, યજ્ઞ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. મહત્વનું છે કે, 11 મે 1951ના રોજ સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તત્કાલિક રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદના હસ્તે સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી.