આજે રાત્રે સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ 65 વર્ષ બાદ જોવા મળશે. 27 જુલીઇ એટલે કે આજે અને આવતીકાલે એમ બે દિવસ આ પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે.
ભારતમાં પણ આ પૂર્ણ ચંદ્રગ્રહણ સૌ કોઈ માણી શકશે. ચંદ્રગ્રહણના પગલે તમને જણાવી દઇયે કે દેશભરના મોટા મંદિરો બપોર બાદ બંધ થશે.
ભારતમાં રાતે 10.53 વાગ્યે ચંદ્રગ્રહણની શરૂઆત થશે. ઉલ્લેખયની છે કે 65 વર્ષ બાદ આ પૂર્ણ ચંદ્રગ્રહણનો નજારો જોવા મળશે. તો વર્ષો બાદ મંગળ બુધ અને શનિ વક્ર ગતિથી ભ્રમણ કરશે.
ચંદ્રગ્રહણની અસરો:
- ચંદ્રગ્રહણ ભારત સહિત યૂરોપના વિસ્તારોમાં દેખાશે.
- એશિયા ઓસ્ટ્રેલિયા આફ્રિકા પૂર્વી દક્ષિણ અમેરિકા પ્રશાંત એટલાંટિક હિંદ મહાસાગરનાં વિસ્તારોમાં જોવા મળશે.
- પૂર્ણ ચંદ્રગ્રહણ રાત્રે 11 કલાકે 53 મિનિટે શરૂ થશે.
- આ ગ્રહણનો સમયગાળો 3 કલાક અન 55 મિનિટનો હશે.
- આ ગ્રહણના કારણે કુદરતી આફતોની શક્યતા વધશે.
- દરિયાઈ તોફાનના યોગ પણ બની શકે છે.
ચંદ્રગ્રહણ દરમિયાન શું કરશો અને શું ન કરશો:
- ગ્રહણ પછી ઘી અને ખીરથી હવન કરો.
- "ૐ ચદ્રાયઃ નમ" મંત્રનો જાપ કરો.
- તીર્થ સ્થળ પર છો તો ત્યા સ્નાન કરી જાપ અને દાન કરો.
- ચપ્પુ કાતર અને સોઈ-દોરાનો પ્રયોગ ન કરવો.
- ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ ધ્યાન રાખવું.
- ગ્રહણ દરમિયાન ઊંચા સ્વરમાં મંત્રોનો જાપ કરો.
- ચંદ્રગ્રહણ દરમિયા નકારાત્મક ઉર્જાથી છુટકારો મળે છે.
- ગ્રહણ દરમિયાન તુલસીના પાન તોડવા નિષેધ છે.
- દૂધ અને દહીમાં પણ તુલસીનુ પાન નાખી દો.
ચંદ્રગ્રહણનુ વૈજ્ઞાનિક રહસ્ય:
ગ્રહણ એ ખગોળીય ઘટના છે.પૃથ્વી જ્યારે ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવે છે ત્યારે સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડતો નથી એટલે ચંદ્ર દર્શન બંધ થઇ જાય છે.
સંપુર્ણ પણે ચંદ્ર પણ ઓછાયાની ઘટના એટલે ચંદ્રગ્રહણ પૂનમનાં દિવસે જ થાય છે. વૈજ્ઞાનિકો મુજબ વર્ષમાં વધુમાં વધુ સાત ગ્રહણ થાય છે.
જેમાં પાંચ ચંદ્રગ્રહણ અને બે સૂર્ય ગ્રહણ થાય છે સૂર્યગ્રહણ પૃથ્વીના થોડા ભાગોમાંથી દેખાય છે. ચંદ્રગ્રહણ પૃથ્વીના અર્ધા ભાગમાંથી દેખાય છે.