આજથી 864 વર્ષ પહેલાં ભગવાન રણછોડરાય બોડાણાની ભક્તિમાં વસ થઈ દ્વારકા છોડી ડાકોર આવ્યા હતા. ભગવાન ડાકોર આવ્યા પછી વર્ષો સુધી ગોમતી પર આવેલા ડંકનાથ મહાદેવમાં રહ્યા હતા, ત્યારબાદ ભગવાનને લક્ષ્મીજી મંદિર પાસે આવેલા ભક્ત બોડાણાજીના ઘરે બિરાજ્યા હતા ત્યાં પણ ભગવાન વર્ષો સુધી રહ્યા હતા અને ત્યારબાદ આજથી 247 વર્ષ પહેલાં ભગવાનના એક ભક્ત દ્વારા આજનું રણછોડજી મંદિર બનાવમાં આવ્યું હતા.
247 વર્ષ પહેલાં ભગવાનની આજના આ મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી, ભગવાનની આ મંદિરમાં સ્થાપના મહાપ્રભુજીનાં પપૌત્ર હરિરાયજી દ્વારા કરવામાં આવી હતી, ત્યારથી મહા વદ પાચમના રોજ ડાકોર મંદિરમાં ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવે છે.
આજનો 247મો પાટોત્સવ ડાકોર રણછોજી મંદિરમાં ખૂબ ધામધૂમથી ઉજવાયો સૌપ્રથમ વહેલી સવારે ભાગવાનની મંગળા આરતી થાય બાદ ભગવાનને પંચામૃત સ્નાન કરવામાં આવ્યું.
ત્યારબાદ ભગવાનને સુંદર દાગીના પહેરાવી તૈયાર કરવામાં આવ્યા આજના દિવસનું મોટું મહત્વ હોવાના કારણે ભગવાનને વિશેષ મહાભોગ ધરવામાં આવ્યો અને ચાંદીના થાળમાં ભગવાનની કપૂર આરતી કરવામાં આવી હતી. જ્યારે ભક્તોનું ઘોડાપુર ડાકોર મંદિરમાં જોવા મળ્યું હતું. રણછોડજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.