બહેન શ્વેતાએ એક વિડીયો શેર કરીને ભાઈ સુશાંતને યાદ કર્યો હતો તો અભિનેત્રી કંગના રણવતે પણ સુશાંતને યાદ કરતાં લખ્યું હતું કે આસમાનનો એક તારો બની ગયો છે સુશાંત
સુશાંતસિંહ રાજપૂતનો જન્મદિવસ
ફેન્સ અને ફેમિલી સુશાંતને યાદ કરીને થયા ઇમોશનલ
ઘણી માનતાઓ બાદ પેદા થયા હતા સુશાંત સિંહ રાજપૂત
બોલીવુડ ઇંડસ્ટ્રીના શાનદાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. ૧૪ જૂન ૨૦૨૦ ના રોજ સુશાંતનું શબ એમના બાંદ્રા સ્થિત ફ્લેટમાં મળ્યું હતું. આ ઘટનાએ બોલીવુડ ઇંડસ્ટ્રીને હલાવીને રાખી દીધી હતી. જો સુશાંત સિંહ રાજપૂત આજે જીવતા હોત, તો તેઓ પોતાનો ૩૬મો જન્મદિવસ ખુબ જ ધૂમધામથી માનવી રહ્યાં હોત. અભિનેતાનો જન્મ ૨૧ જાન્યુઆરી ૧૯૮૬ ના રોજ બિહારના પટનામાં થયો હતો.
એન્જિનિયરીંગ છોડીને એક્ટિંગમાં આવ્યો
સુશાંતે એન્જીનિયરીંગનું ભણતર વચ્ચેથી છોડીને એક્ટિંગની દુનિયામાં પોતાનો પગ જમાવ્યો હતો. તેમણે વર્ષ ૨૦૦૮માં સીરિયલ ' કિસ દેશ મેં હૈ મેરા દિલ ' માં કામ કર્યું હતું પરંતુ તેમને અસલી ઓળખાણ સીરિયલ ' પવિત્ર રિશ્તા 'થી મળી. સુશાંતની કરિયર વિષે ફેંસ ઘણું જાણે છે પરંતુ શું આપને ખ્યાલ છે કે સુશાંત સિંહ રાજપૂતના જન્મ માટે તેમનાં પરિવારે ખુબ માનતાઓ માંગી હતી. તેમની માએ ઘણાં મંદિરોમાં જઈને માથું જુકાવ્યુ હતું.
સુશાંતની બહેને વીડિયો કર્યો શેર
બહેન શ્વેતાએ એક વિડીયો શેર કરીને ભાઈ સુશાંતને યાદ કર્યો હતો .
તો અભિનેત્રી કંગના રણવતે પણ સુશાંતને યાદ કરતાં લખ્યું હતું કે આસમાનનો એક તારો બની ગયો છે સુશાંત
ચાર બહેનો વચ્ચે એક જ ભાઇ
અસલમાં, સુશાંત સિંહ રાજપૂત પોતાની ચાર બહેનો વચ્ચે એક માત્ર ભાઈ હતા. તેમનાં જન્મ માટે તેમની મા ઉષા સિંહે ઘણાં મંદિરોમાં જઈને માથું જુકાવ્યુ હતું અને આ જ કારણે એ કહી શકાય છે કે અભિનેતાનો જન્મ ઘણી માનતાઓ બાદ થયો હતો. સુશંતની મા ઉષા તેમને ખુબ જ પ્રેમ કરતા હતા. તથા એ જ કારણે તેઓ સુશાંતને બાળપણમાં 'ગુલશન' નામથી બોલાવતા હતા પરંતુ કિસ્મતને કંઇક બીજું જ મંજૂર હતું.
જયારે સુશાંત માત્ર 16 વર્ષના હતા, ત્યારે તેમની માનું મૃત્યુ થઇ ગયું હતું. સુશાંત પોતાની માનાં ગયા પછી ખુબ જ તૂટી ગયા હતા. આ ઘટના બાદ અભિનેતા સોસીયલ મીડિયા પર તસ્વીરો શેયર કરતા રહેતા હતા. પરંતુ સુશાંતે પોતાનાં મૃત્યુના માત્ર 10 દિવસ પહેલા પોતાની મા ને યાદ કરતી એક ભાવુક પોસ્ટ લખી હતી . આ પોસ્ટે સુશંતના ફેંસને પણ હેરાન કરી મુક્યા હતા.
ટીવી સિરિયલથી કરી શરુઆત
સુશાંત સિંહ રાજપૂતના કરિયરની વાત કરીએ તો તેમને એન્ટરટેઇનમેન્ટ જગતમાં પોતાની ખાસ જગ્યા બનાવવા માટે વર્ષો સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. સુશાંતને ૨૦૦૮ માં ટીવી સીરિયલ ' કિસ દેશ મેં હૈ મેરા દિલ ' થી બ્રેક મળ્યો હતો. તેમને ઓળખાળ ટીવી શો ' પવિત્ર રિશ્તા ' ના માનવનાં પત્રથી મળી હતી. આ સીરિયાલમાં કામ કર્યાં પછી લોકો તેમને ઘર ઘરમાં જાણવા લાગ્યા હતા. આ જ કારણ છે કે એમને બોલીવીડમાં એન્ટ્રી મળી.
ફિલ્મ ' કાઈ પો છે ' થી બોલીવોડમાં ડેબ્યૂ
સુશાંત સિંહ રાજપૂતે સાલ ૨૦૧૩ માં રિલીઝ થયેલી ફિલ્મ ' કાઈ પો છે ' થી બોલીવોડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ સુશાંત ' શુદ્ધ દેસી રોમાંસ ', ' પીકે ', ' વ્યોમકેશ બક્ષી ', 'એમએસ ધોની ', 'રાબતા ', ' કેદારનાથ ' જેવી ફિલ્મોમાં જોવા મળ્યાં હતા. સુશંતના મૃત્યુ બાદ તેમની ફિલ્મ ' દિલ બેચારા ' રિલીઝ થઇ હતી. આ ફિલ્મને દર્શકોએ ખુબ જ પસંદ કરી હતી.