લોકસભાના મહાપર્વનું ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આજે લોકસભાની ચૂંટણી માટે ચોથા તબક્કાનું મતદાન યોજાયુ છે. 9 રાજ્યોમાં 71 બેઠકો પર આજે ચોથા તબક્કાનું મતદાન યોજાયુ છે. તો આજે ચોથા તબક્કાના મતદાન માટે કુલ 971 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. જ્યારે ભાજપે અભિનેતા સની દેઓલને પંજાબના ગુરદાસપુર બેઠક પરથી લોકસભાની ચૂંટણી માટે મેદાને ઉતાર્યા છે. તો આજે સની દેઓલ ગુરદાસપુર બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરશે. જોઇએ સમગ્ર અહેવાલ.
ભાજપે અભિનેતા સની દેઓલને પંજાબના ગુરદાસપુર બેઠક પરથી લોકસભાની ચૂંટણી માટે મેદાને ઉતાર્યા છે. ત્યારે સની દેઓલ આજે ગુરદાસપુર બેઠક પરથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સની દેઓલે અમૃતસરના પ્રખ્યાત ગોલ્ડન ટેમ્પલ ખાતે પૂજા અર્ચના કરી.
What struck me about @iamsunnydeol is his humility and deep passion for a better India.
Happy to have met him today. We are all rooting for his victory in Gurdaspur!
— Chowkidar Narendra Modi (@narendramodi) April 28, 2019
તો અમૃતસર પહોંચતા પહેલા સની દેઓલે પીએમ મોદી સાથે પણ મુલાકાત કરી. ત્યારે પીએમ મોદીએ આ મુલાકાતને લઈને ટ્વીટ કરીને કહ્યું કે, સની દેઓલની વિનમ્રતાથી હું પ્રભાવિત થયો છું. દેશને લઈને તેમનું પેશન જોઈને હું પણ પ્રભાવિત છું. તેમને મળીને ખૂબ જ આનંદ થયો. અમે તમામ ગુરદાસપુરથી તેમની જીતની આશા રાખુ છું.
તો પીએમ મોદીએ સની દેઓલની પ્રખ્યાત ફિલ્મ ગદરનો ડાયલોગ પણ શેર કર્યો. પીએમ મોદીએ ડાયલોગ શેર કરતા કહ્યું કે, અમે બંને માનીએ છીએ કે, હિન્દુસ્તાન જિંદાબાદ હતુ, છે અને રહેશે. ઉલ્લેખનીય છે કે, સની દેઓલ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ગુરદાસપુર બેઠક પરથી ભરશે.