રાજકોટના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી પોતાના પડતર પ્રશ્નોને લઈને વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે ખેડૂતોના પડતર પ્રશ્નોનોને લઈને ભારતીય કિસાન સંઘના સભ્યોએ ઉપવાસ પર ઉતર્યા છે. પાક વીમા મામલે ખેડૂતોના ઉપવાસનો આજે બીજો દિવસ છે. પાક વીમાની યોગ્ય ચુકવણી, ભાવાંતર યોજના લાગુ કરવાની ખેડૂતો માગ કરી રહ્યા છે. ત્યારે હવે ખેડૂતોના આંદોલનને કોંગ્રેસે પણ સમર્થન જાહેર કર્યુ છે. કોંગ્રેસના આગેવાનોએ ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી.