આજે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ આજે હેરિટેજ દિવસની ઉજવણી કરવામાં આવી છે. શહેરના કાલુપુરમાં આવેલા સ્વામિનારાય મંદિરથી હેરિટેજ વોકનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ વોકનુ પ્રસ્થાન મેયર ગૌતમ શાહે કરાવ્યુ હતુ અને વોકમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આ ઉપરાંત ગુજરાતના ઘણા સ્થળો હેરિટેજ બન્યા છે પાટણના સોલંકી રાજવી ભીમદેવ પહેલાની યાદમાં રાણી ઉદયમતીએ 11મી સદીમાં બંધાવેલ શિલ્પ સ્થાપત્યનો અદભૂત નમૂનો. જેને યુનેસ્કો દ્વારા વર્ષ 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાઇ. તે પછી વિદેશી પર્યટકોની અવરજવર વધી છે. પરંતુ અે પણ સત્ય છે કે વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર થયાના ત્રણ વર્ષ પછી પણ અહીં નથી કોઇ સારી હોટલ વિશ્રામગૃહ કે ભોજન નાસ્તા માટેની સુવિધા. અહીં ગાઈડ પણ નથી.