મહેસાણામાં આજે ત્રીજા દિવસે પાટીદાર શહીદ યાત્રાનુ પ્રસ્થાન થયુ છે. બહુચરાજીના બલોલ ગામથી શહીદ યાત્રા નિકળી છે. આ શહીદ યાત્રા મોઢેરા ચાર રસ્તા થઈને ગોપનીળાથી પીલુદ્રા થઈને વિજાપુર પહોંચશે.
આ શહીદ યાત્રા વિજાપુર બાદ યાત્રા સાબરકાંઠામાં જશે. મહત્વનુ છે કે પાટીદાર સમાજ દ્વારા શહીદ યાત્રા કાઢવામાં આવી છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન શહીદ થનાર પાટીદાર યુવકોના પરિવારને ન્યાય મળે તે માટે યાત્રા નિકળી છે.
ઉલ્લેખનીય છે કે પાટીદાર આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા 14 યુવાનોને ન્યાય અપાવવા માટે યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. શહીદયાત્રામાં સરદારગાથા અને અનામતની ડોયુમેન્ટરી દેખાડવામાં આવશે.