વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5-7 જાન્યુઆરીના રોજ યોજાનારી રાજ્યોના મુખ્ય સચિવોની બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં પીએમ 6 અને 7 જાન્યુઆરી દરમિયાન મંથન સત્રોની અધ્યક્ષતા કરશે.
પીએમ નરેન્દ્ર મોદીની રાજ્યોના મુખ્ય સચિવો સાથે બેઠકો
6 અને 7 જાન્યુઆરી દરમિયાન મંથન સત્રોની અધ્યક્ષતા કરશે
અનેક મુદ્દાઓ અને વિકાસના કાર્યો પર ચર્ચા અને વિચારણા થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5-7 જાન્યુઆરીના રોજ યોજાનારી રાજ્યોના મુખ્ય સચિવોની બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં પીએમ 6 અને 7 જાન્યુઆરી દરમિયાન મંથન સત્રોની અધ્યક્ષતા કરશે. MSME, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, મહિલા સશક્તિકરણ, આરોગ્ય અને પોષણ અને કૌશલ્ય વિકાસ જેવા મહત્વના મુદ્દાઓ પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. રાષ્ટ્રીય રાજધાનીમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (PUSA) કેમ્પસમાં 5 જાન્યુઆરીએ નીતિ આયોગના CEO પરમેશ્વરન અય્યર દ્વારા મીટિંગનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
PMO માંથી મળી જાણકારી
વડાપ્રધાન કાર્યાલય એટલે કે પીએમઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ બેઠકમાં ત્રણ વિશેષ સત્રો યોજાશે. જેમાં છેલ્લા માઈલ સુધી પહોંચવું, GST અને ભૌગોલિક-રાજકીય પડકારો અને ભારતનો પ્રતિસાદ સામેલ છે. આ સમગ્ર મીટિંગ દરમિયાન વોકલ ફોર લોકલ, ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ, જી20: રોલ ઓફ સ્ટેટ્સ અને ઇમર્જિંગ ટેક્નોલોજી જેવા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
ભારતને 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમિ બનાવવી
આ 3-દિવસીય બેઠકનું મહત્ત્વપૂર્ણ ફોકસ દેશભરના જિલ્લાઓને વિકાસના એન્જિન તરીકે વિકસાવવા પર પણ રહેશે. આ ઉપરાંત આરોગ્ય અને આબોહવા અંગે પણ ચર્ચા થશે. ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય હાંસલ કરવા માટે, મુખ્ય સચિવોને વિકાસશીલ જિલ્લાઓને વિકાસના મોડલ તરીકે ધ્યાનમાં લેવા માટે કહેવામાં આવી શકે છે. જણાવી દઈએ કે રાજ્યોના મુખ્ય સચિવોની પ્રથમ રાષ્ટ્રીય પરિષદ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં યોજાઈ હતી.