અંતરિક્ષમાં નાની મોટી ખગોળીય ઘટના થતી રહેતી હોય છે. ઘણીવાર કોઇ ઉલ્કા પડવાને કારણે પૃથ્વી પર સરોવર સર્જાય છે તો ક્યારેક ન ઘટવાની ઘટના પણ બની જતી હોય છે. ત્યારે આજનો દિવસ ખુબ ખાસ છે.
આજે ઘટશે ખગોળીય ઘટના
દિવસ અને રાત હશે સરખા
12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત્રિ
આજે મંગળવારે 22મી સપ્ટેમ્બરના રોજ દિવસ અને રાત બંન્ને સરખા હશે. મંગળવારે દિવસ 12 કલાકનો તેમજ રાત પણ 12 કલાકની જ રહેશે. ક્રાંતિવૃત્ત અને વિષુવૃવત્તના પરસ્પર છેદનને કારણે આ ખગોળિય ઘટના સર્જાય છે. ખગોળ શાસ્ત્રમાં આ ઘટનાને શરદ સંપાત દિવસ તરીકે ઓળખવામા આવે છે.
સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વાર એકબીજાને છેદે છે. ત્યારબાદ બુધવારથી દિવસ ક્રમશઃ ટૂંકો અને રાત ક્રમશઃ લાંબી થતી જશે. ભારતમાં લોકોએ અગાઉ ગત ૨૧મી માર્ચે દિવસ અને રાત બંન્ને સરખાં હાવેાનો અનુભવ કર્યો હતો.
ક્રાંતિવૃત અને વિષુવવૃત્તના સંપાતને કારે આ ખગોળિય ઘટના સર્જાતી હોય છે. વર્ષમાં બે વાર ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્તના સંપાતની ખગોળિય ઘટના સર્જાતી હોય છે. અમદાવાદમાં સૂર્યોદય સવારે 6 કલાક અને 29 મિનિટે થશે. અને સૂર્યાસ્ત 6 કલાક અને 34 મિનિટે થશે. એટલે કે દિવસ 12 કલાક અને 5 મિનિટનો હશે. તેવી જ રીતે રાજકોટમાં સૂર્યોદય સવારે 6 કલાક અને 36 મિનિટે તેમજ સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 40 મિનિટે થશે. એટલે કે રાજકોટમાં દિવસ 12 કલાક અને 04 મિનિટનો રહેશે.
સુરતમાં સૂર્યોદય સવારે 6 કલાક અને 29 મિનિટે થશે. અને સૂર્યાસ્ત 6 કલાક અને 35 મિનિટે થશે. તેવી જ રીતે મૂંબઈમાં સૂર્યોદય સવારે 6 કલાક અને 28 મિનિટ 38 સેકન્ડે થશે અને સૂર્યાસ્ત સાંજના 6 કલાક 34 મિનિટ અને 13 સેકન્ડે થશે. પૃથ્વી પોતાની ધરીની આસપાસ 23.5 અંશે નમેલી – ઝૂકેલી હોય છે. પૃથ્વીનુ માથું દક્ષિણ અને ઉત્તર તરફ નમેલું હોવાના કારણે સૂર્યના કિરણોની અસરને કારણે પૃથ્વીવાસીઓને ગરમી અને ઠંડી સહીતની વિવિધ ઋતુનો અનુભવ થતો હોય છે.
21મી જૂન વર્ષનો લાંબામાં લાંબો દિવસ હતો
ગત 21મી જૂનના રોજ શહેરીજનોએ વર્ષના લાંબામાં લાંબા દિવસનો અનુભવ કર્યો હતો. ખગોળશાસ્ત્રની દ્રષ્ટીએ આ ઘટનાને વસંત સંપાત દિવસ કહેવાય છે. ત્યારબાદ દિવસ ક્રમશઃ લાંબો થતો ગયો હતો અને રાત ક્રમશઃ ટૂંકી થતી ગઈ હતી. હવે શરદ સંપાતના કારણે દિવસ ક્રમશઃ ટૂંકો અને રાત ક્રમશઃ લાંબી થતી જતી હોવાનું અનુભવાશે. શરદ સંપાદની ઘટનાને પગલે વાતાવરણ ખુશનુમા થશે.