આજે 16 મેનાં રોજ વૈશાખ પૂર્ણિમા છે. જાણો આજે ક્યા પ્રકારે પૂજા અને ઉપાયો કરવાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
16 મે એટલે કે આજે છે વૈશાખ પૂર્ણિમા
આજે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે
ધન પ્રાપ્તિ માટે પીપળા સાથે જોડાયેલા ઉપાયો કરવા જોઈએ
આજે છે વૈશાખ પૂર્ણિમા
વૈશાખ પૂર્ણિમાને હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. આમ તો બધી પૂર્ણિમા મહત્વપૂર્ણ હોય છે, પરંતુ વૈશાખ પૂર્ણિમાનાં દિવસે ભગવાન વિષ્ણુએ ગૌતમ બુદ્ધનાં રૂપમાં અવતાર લીધો હતો. તેમણે જ બુદ્ધ ધર્મની સ્થાપના કરી હતી અને આખી દુનિયાને શાંતિ, પ્રેમ, ઈમાનદારી, માનવતાનો સંદેશ આપ્યો હતો. આ જ દિવસે મહાત્મા બુદ્ધને બોધગાથામાં બુદ્ધત્વની પ્રાપ્તિ થઇ હતી. અમુક જગ્યાઓ પર આ પૂર્ણિમાને પીપલ પૂર્ણિમા પણ કહે છે.
વૈશાખ પૂર્ણિમા પર કેવી રીતે કરવી પૂજા?
વૈશાખ પૂર્ણિમાનાં દિવસે સૂર્યોદય પહેલા જ સ્નાન કરી લો. આમ તો આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ, પરંતુ આમ ન કરી શકાય તો ગંગાજળ નાંખીને પાણીથી ઘર પર જ સ્નાન કરી શકાય છે. પછી ઇશાન કોણમાં એક લાલ, સફેદ અથવા પીળા કપડા પાથરીને તેના પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરો. ભગવાન વિષ્ણુ અને ધનની દેવી માં લક્ષ્મીની પૂજા કરો, તેમને ચંદન, અક્ષત, પંચામૃત, ફળ, ફૂલ, પંચમેવા, કુમકુમ, કેસર, નારીયળ, પીતાંબર અર્પિત કરો. તુલસી પાં પણ અર્પિત કરી શકાય છે. ભોગ લગાવો. આરતી કરો. પૂજન બાદ દાન અવશ્ય કરો. વૈશાખ પૂર્ણિમાનાં દિવસે જળ ભરેલ ઘડો, છત્રી, ચપ્પલ, પકવાન, ફળ વગેરેનું દાન કરવું ઉત્તમ માનવામાં આવે છે.
ધન પ્રાપ્તિ માટે કરો પીપળા સાથે જોડાયેલા ઉપાયો
એવા જાતકો જે પિતૃ દોષ, શનિ દોષથી પરેશાન છે, તેમના માટે વૈશાખ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ ખાસ છે. આ દિવસે તેમણે પીપળાનાં વૃક્ષ પર કાળા તલ મિલાવીને ચઢવું જોઈએ. આમ કરવાથી તેમને પિતૃ દોષથી રાહત મળે છે. જ્યારે પીપળાનાં વૃક્ષની પૂજા કરવાથી શનિનો પ્રકોપ પણ ઘટે છે. આ ઉપાય કરવાથી જીવનમાં આવી રહેલ મુસીબતો, તકલીફો દૂર થાય છે. દરેક કામમાં સફળતા મળે છે. ધન લાભ પણ થાય છે. સવારે સ્નાન કરીને પીપળાનાં વૃક્ષ પર દૂધ અને જળ ચઢાવવાથી બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે.