ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા હવે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચારનો છેલ્લો દિવસ
બીજા તબક્કાના મતદાન પહેલા PM મોદીના પ્રચારનો આજે છેલ્લો દિવસ
PM મોદીએ છેલ્લા 2 મહિનામાં સરકારી અને પાર્ટીના કુલ 61 કાર્યક્રમોમાં હાજરી
PM મોદીએ ભાજપની કુલ 38 સભાઓને સંબોધી
ચૂંટણી પ્રચારમાં 100 કરતા વધુ વિધાનસભા બેઠકોને કવર કરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. તો હવે બીજા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા બે મહિનામાં સરકારી અને પાર્ટીના કુલ 61 કાર્યક્રમોમાં હાજરી આપી છે. આ સાથે PM મોદીએ ભાજપની કુલ 38 સભાઓને સંબોધી છે. જોકે PM મોદીએ ચૂંટણી પ્રચારમાં 100 કરતા વધુ વિધાનસભા બેઠકોને કવર કરી દીધી છે.
PM મોદીનો આજે વિધાનસભા ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા હવે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચારનો છેલ્લો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠાના કાંકરેજ, પાટણના યુનિવર્સિટી ગ્રાઉન્ડ, આણંદનાસોજીત્રા તેમજ અમદાવાદના સરસપુરમાં જાહેર જનસભાને સંબોધશે.
PM મોદીએ ભાજપની કુલ 38 સભાઓને સંબોધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા બે મહિનામાં સરકારી અને પાર્ટીના કુલ 61 કાર્યક્રમોમાં હાજરી આપી છે. આ સાથે PM મોદીએ ભાજપની કુલ 38 સભાઓસંબોધી ચૂંટણી પ્રચારમાં 100 કરતા વધુ વિધાનસભા બેઠકોને કવર કરી છે. જોકે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રીની સભા અને રોડ-શોની કેટલી અસર જોવા મળે છે તે તો આવનાર દિવસોમાં ખબર પડી જશે.
PM મોદીના પ્રચંડ પ્રચારની કેટલી અસર થશે?
સત્તાધારી પક્ષ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય નેતાઓ જોરશોરથી પ્રચાર કરતા રહ્યા છે અને આજે વડાપ્રધાનના પ્રચારનો છેલ્લો દિવસ છે. જોકે સત્તાધારી પક્ષ ભાજપના ઝંઝાવાતી પ્રચારને કારણે રાજ્યમાં એન્ટી ઈન્કમ્બન્સીનો માહોલ પણ ન બની શક્યો. તેનો સીધો ફાયદો સત્તાધારી ભાજપને મળતો જોવા મળી રહ્યો છે. હવે આગામી 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. જે બાદમાં 8 ડિસેમ્બરે પરિણામ આવ્યા બાદ જ જાણી શકાસે કે, વડાપ્રધાનના પ્રચંડ પ્રચારની અસર કેટલી થઈ ?