વેપારીએ વેક્સિન નહીં લીધી હોય તો દુકાન બંધ કરીને દંડ કરવા સુધીની કાર્યવાહી પરતું વેક્સિન સેન્ટરો પર વેક્સિન નહીં હોવાથી મૂંઝાયા વેપારીઓ
ધંધાદારીઓ અને વેપારીઓ માટે વેક્સિનેશ ફરજીયાત
છેલ્લા દિવસે વેક્સિન ન મળતા વેપારીઓ મુજવણમાં મુકાયા
કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ મુદ્દત વધારવાની કરી માંગ
રાજ્યમાં કોરોના સામેની જંગમાં વેપારીઓ માટે વેક્સિન ફરજીયાત કરી દેવામાં આવી છે જો કે ફરજિયાત વેક્સિનેશનનો આજે છેલ્લો દિવસ પણ વેક્સિનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલ્બ ન થતા, અમદાવાદ સહિત અનેક શહેરમાં સવારથી વેક્સિન માટે વેપારીઓ કતારોમાં જોવા મળી રહ્યા છે સવારથી લાંબી કતારોમાં ઊભેલા લોકોનો ચાર કલાક વિત્યા બાદ પણ ભાગ્ય જ નંબર આવે છે.
વેક્સિન લેવા લોકોમાં ઉત્સાહ પણ વેક્સિનની અછત
કોરોનાની ત્રીજી લહેની આશંકાએ લોકોમાં વેક્સિન લેવા જાગૃત બન્યા છે ત્યારે વહેલી સવારથી જ વેક્સિનેશન સેન્ટર પર દોડી જાય છે. સરકારની ગાઈડલાઈન મુજબ તમામ સુપરસ્પ્રેડરની હરોળમાં આવતા વેપારીઓને 31 જુલાઈ સુધી ફરજિયાત વેક્સિન લેવા આદેશ કરાયો છે. જો તેઓ વેક્સિન 31 જુલાઈ પહેલા નહીં લે તો તેમને વેપાર કરવા દેવામાં આવશે નહીં બલ્કે જો કોઈ વેપારીએ વેક્સિન નહીં લીધી હોય તો દુકાન બંધ કરીને દંડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. એક બાજુ જ્યાં આટલા દિવસોના પ્રતિબંધો બાદ ધીમે ધીમે વેપાર ધંધામાં છૂટછાટ આપવામાં આવી રહી છે ત્યાં વેક્સિન ન મળતા વેપારઓ મૂંઝવણમાં મૂકાયા છે.
અંતિમ દિવસે પણ વેપારીઓની લાંબી કતારો
વેપારીઓ-ધંધાર્થીઓએ વેક્સિન લેવાનો આજે અંતિમ દિવસ ત્યારે વેક્સિનેશની મુદ્દતમાં વધારો આવે તેમજ રવિવારે માત્ર વેપારીઓ માટે જ વેક્સિન આપવામાં તેવી માંગ કરી છે. વેપારીઓ કહી રહ્યા છે કે લાઈનમાં ઉભા રહેતા કામના કલાકો બગડતા હોય છે. જો વાત રાજકોટની કરવામાં આવે તો રાજકોટમાં વેક્સિન લેવાનો અંતિમ દિવસ છે ત્યારે જે વેપારીઓએ વેક્સિન ન લીધી હોય તેને પોલીસ દ્વારા મદદ કરવામાં આવશે એટલું જ નહીં ગઈ કાલે કમિશનરે સપ્ટેબર સુધી વેપારીઓને વેપારીઓને છૂટ આપી હોવાનું પણ મનાઈ રહ્યું છે.
વેપારીઓને વેક્સિન ફરજીયાત પણ નથી મળતી વેક્સિન
આ તરફ સુરતમાં પણ આજે વેક્સિન લેવા માટે વેપારીઓ ઉમટ્યા છે. સવારથી વેક્સિન માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. જો કે ટેક્સટાઇલ માર્કેટમાં અત્યાર સુધીમાં માત્ર 50થી 60 ટકા વેક્સિનેશન થઈ ચુક્યું છે. ત્યારે વેક્સિનથી વંચિત વેપારીઓ અને કર્મચારીઓની ચિંતા વધી ગઈ છે વેપારીઓએ દુકાનો ખોલવી કે નહીં તેને લઈ મુજવણમાં મુકાયા છે. જો કે વેક્સિનના અભાવે છેલ્લા 9 દિવસથી ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારના તમામ વેક્સિન સેન્ટરો બંધ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.
કોંગ્રેસ નેતાએ વેક્સિન મુદ્દત વધારવા કરી માંગ
વેપારીઓને ફરજીયા વેક્સિનને લઈ હવે વિપક્ષ પણ મેદાને આવ્યું છે કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ ટ્વીટ કરી વેક્સિનની અછતને કારણે વંચિત રહેતા વેપારીઓને લઈ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. ગ્યાસુદ્દીને કહ્યું કે અનેક ધક્કાઓ ખાવા છતાં વેક્સિન મળતી નથી તેથી સરકારે વેપારીઓ માટે વેક્સિનની મુદ્દતમાં એક મહિનાનો વધારો કરવામાં આવે તેવી માંગ કરી છે.