24 માર્ચ 2022 એટલે કે આજે શીતળા સપ્તમી છે. જાણો આ દિવસે ક્યા પ્રકારે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અને આ પાછળની પૌરાણિક કથા શું છે.
આજે છે શીતળા સપ્તમી
જાણો શીતળા સપ્તમી માટેની પૂજાવિધિ
શીતળા માતાની કથા
આજે છે શીતળા સપ્તમી
માતા શીતળા માટે શીતળા સપ્તમીનું વ્રાત રાખવામાં આવે છે. શીતળા સપ્તમી હોળીનાં સાત દિવસ બાદ મનાવવામાં આવે છે. આજે 24 માર્ચ 2022નાં રોજ શીતળા સપ્તમી છે. અમુક ભક્તો શીતળા માતા માટે શીતળા સપ્તમીનું વ્રત રાખે છે, તો અમુક ભક્તો શીતળા અષ્ટમીનું વ્રત રાખે છે. માનવામાં આવે છે કે મનથી માતા શીતળાનું વ્રત અને પૂજા કરનાર લોકોનાં કષ્ટોનું નિવારણ થઇ જાય છે. આ સાથે જ એ પણ કહેવામાં આવે છે કે માતા શીતળાનાં ભક્તોને બધા રોગોથી મુક્તિ મળે છે. આવો જાણીએ ક્યા પ્રકારે કરવામાં આવે છે શીતળા સપ્તમી પર શીતળા માતાનું પૂજન.
શીતળા સપ્તમીની પૂજા વિધિ
માન્યતા અનુસાર, શીતળા સપ્તમી પર સવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવામાં આવે છે. ત્યાર બાદથી જ વ્રત શરુ થઇ જાય છે.
આજે શીતળા માતાની પૂજાનાં દિવસે ઘરે ચૂલો શરુ કરવામાં આવતો નથી. માનવામાં આવે ચ એકે પૂજાનો ભોગ એક દિવસ પહેલા જ તૈયાર કરી લેવો જોઈએ.
પૂજાનાં એક દિવસ પહેલા રાત્રે ભક્તો અલગ અલગ પ્રકારના પકવાન તૈયાર કરે છે, જેમકે પૂરી, ભાત, હલવો વગેરે.
શીતળા માતાને ભોગ ચઢાવ્યા બાદ પ્રસાદ લેવામાં આવે છે.
શીતળા સપ્તમી પર શીતળા માતા મંત્રનું પઠન કરવામાં આવે છે.
શીતળા માતાનાં મંત્રને તુલસીથી બનેલ માળાથી જાપ કરવાને શુભ માનવામાં આવે છે.
માન્યતા અનુસાર, શીતળા માતાની પૂજા તેમની મૂર્તિ સામે કરવામાં આવે છે.
શીતળા માતાની કથા સાંભળવી પણ શુભ માનવામાં આવે છે.
શીતળા માતાની કથા
માનવામાં આવે છે કે એક ગામમાં એક સ્ત્રી રહેતી હતી. તે સ્ત્રી શીતળા માતાની એક ભક્ત હતી અને તેમનું વ્રત પણ રાખતી હતી. તે ગામના અન્ય લોકો પણ શીતળા માતાનું વ્રત રાખતા ન હતા કે ન તેમને કોઈપણ જાતનો વિશ્વાસ હતો. જ્યારે ગામમાં આગ લાગી, તો શીતળા માતાની ભક્તની ઝુંપડી સિવાય બીજી બધી ઝુંપડીઓ બળી ગઈ. કારણની જાણ થઇ, ત્યારે સૌને સમજાયું કે શીતળા માતાની પૂજા કરવાથી આવું થયું છે. ત્યારથી જ બધા લોકો શીતળા માતાની પૂજા કરવા લાગ્યા. આ પૌરાણિક કથા ત્યારથી જ સંભળાવવામાં આવે છે.