આજે ભારતીય સિનેમા જગતનું સૌથી મોટું નામ એવા સત્યજીત રેનો જન્મદિવસ છે. જાણો તેમના જીવન સાથે જોડાયેલ રસપ્રદ બાબતો
આજે સત્યજીત રેનો જન્મદિવસ
ભારતીય સિનેમાને આપી 37 ફિલ્મો
પાથેર પાંચાલી હતી તેમની પહેલી ફિલ્મ
આજે સત્યજીત રેનો જન્મદિવસ
સત્યજીત રે સિનેમા જગતનું એવું નામ છે, જે સૌથી મોટા ચહેરાનાં રૂપમાં ઓળખવામાં આવે છે. સત્યજીત રેનાં નામની ગણના ભારતીય સિનેમાનાં તે વ્યક્તિમાં કરવામાં આવે છે, જેમણે સિનેમાનું પરચમ ભારતની સાથે સાથે વિદેશોમાં પણ લહેરાવ્યું છે. આજે પણ તેમની છાપ ભારતીય સિનેમા પર સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે. આજે સત્યજીત રેની 101મી જયંતી છે. એટલું જ નહીં, સત્યજીત રેને પદ્મશ્રીથી લઈને ભારત રત્ન અને ઓસ્કાર પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. પોતાના સમગ્ર જીવનમાં તેમણે સિનેમા જગતને 37 ફિલ્મો આપી છે અને તેઓ આખી દુનિયામાં છવાઈ ગયા છે.
ભારતીય સિનેમાને આપી 37 ફિલ્મો
આ ઉપરાંત, તેમણે ભારતીય સિનેમામાં આર્ટ ફિલ્મોની શરૂઆત કરી હતી અને તેને એ પ્રકારે પેશ કરી, જે ખરેખર વખાણવાલાયક છે. તેમની આ કળાથી આજ સુધી આર્ટ ફિલ્મ મેકર્સને પ્રેરણા મળે છે. સત્યજીત રે વિષે જાણીને કદાચ તમને નવાઈ લાગશે કે તેમને એક બે નહીં, પરંતુ 32 અલગ અલગ સરકારી પુરસ્કારો મળ્યા છે.
જણાવી દઈએ કે ઓસ્કાર એવોર્ડથી લઈને ભારતનાં સર્વોચ્ચ સન્માન તેમને આપવામાં આવ્યા છે. તેમને 30 માર્ચ 1992નાં રોજ ઓનરરી લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. એવું પણ કહેવામાં આવે છે કે તે સમયે સત્યજીત રે ઘણા બીમાર હતા, એટલા માટે ઓસ્કાર સાથે જોડાયેલ પદાધિકારી તેમને એવોર્ડ આપવા માટે કોલકાતા આવતા હતા.
પાથેર પાંચાલી હતી તેમની પહેલી ફિલ્મ
તેમની પહેલી ફિલ્મ 'પાથેર પાંચાલી' હતી, જેને ખૂબ વખાણવામાં આવી હતી. આ ફિલ્મે તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતી અપાવી હતી. સાથે જ ફિલ્મને કાંસ ફિલ્મ ફેસ્ટીવલમાં પણ ખૂબ જ વખાણવામાં આવી હતી. આ ફિલ્મે એવોર્ડ પણ જીત્યા હતા. આ ઉપરાંત, સત્યજીતે અંગ્રેજી અને બાંગ્લા બંનેમાં સમાચાર પત્રો અને પત્રિકાઓમાં સિનેમા પર લેખ પણ લખ્યા છે.
રેએ આ પ્રકારે કરી હતી કરિયરની શરૂઆત
2 મે 1921નાં રોજ જન્મેલા સત્યજીત રેની ગણના મહાન નિર્દેશકોમાં થાય છે. તેઓ એક લેખકની સાથે સાથે પબ્લીશર, ઈલસ્ટ્રેટર, કોલીગ્રાફર, ગ્રાફિક ડિઝાઈનર અને ફિલ્મ ક્રિટિક પણ હતા. પોતાની કરિયરની શરૂઆત તેમણે વર્ષ 1943માં કરી હતી.આ દરમિયાન તેમને કમાણીનાં રૂપમાં માત્ર 18 રૂપિયા મળતા હતા.