અભિનેતા મનોજ બાજપાઈનો આજે જન્મદિવસ છે, જાણો તેમના જીવન સાથે જોડાયેલ કેટલીક રસપ્રદ બાબતો
આજે છે મનોજ બાજપાઈનો જન્મદિવસ
બાળપણથી જ એક્ટર બનવા માંગતા હતા મનોજ
પંકજ ત્રિપાઠીએ મનોજ બાજપાઈનાં ચપ્પલ રાખી લીધા હતા
આજે છે મનોજ બાજપાઈનો જન્મદિવસ
બોલિવુડનાં દિગ્ગજ અભિનેતાઓમાં સામેલ મનોજ બાજપાઈ આજે પોતાનો 53મો જન્મદિવસ મનાવી રહ્યા છે. બિહારના મનોજ બાજપાઈ મોટા પરદા પર પોતાના દરેક પાત્રને જીવંત બનાવી દે છે, પછી એ 'સત્યા'નાં ગેન્ગસ્ટર ભીખૂ મહાત્રેનું પાત્ર હોય કે શૂલમાં પોલીસનું, તેઓ દરેક પાત્રમાં છવાઈ જાય છે. 'ધ ફેમિલી મેન' સીરીઝથી તો તેઓ દરેક હૃદયમાં વસી ગયા છે. આજે તેમના જન્મદિવસ પર આવો જાણીએ તેમની સાથે જોડાયેલ અમુક દિલચસ્પ વાતો.
બિહારનાં બેલવા ગામમાં 23 એપ્રિલ 1969નાં રોજ મનોજનો જન્મ થયો હતો. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આ નાનકડા ગામનો બાળક બોલિવુડ પર રાજ કરશે. બાળપણથી જ મનોજ બાજપાઈ એક્ટર બનવા માંગતા હતા.
એક્ટર બનવા માટેનું સ્ટ્રગલ
પરંતુ મનોજ માટે આ રસ્તો સરળ ન હતો. એનએસડીમાં એડમીશન લેવા માટે તેમણે ખૂબ જ મહેનત કરી છે અને છતાં પણ તેમને એડમીશન મળ્યું ન હતું. ચાર વાર એનએસડીમાં જવાની તેમણે કોશિશ કરી હતી પરંતુ દરેક વાર તેઓ રીજેક્ટ થતા રહ્યા.
મનોજને ઝટકો લાગ્યો હતો. તેમણે એક વાર તો પોતાનો જીવ લેવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પરંતુ કહેવાય છે ને કે કિસ્મતમાં જે લખ્યું છે, તે મળે જ છે. અમુક લોકોએ તેમને સમજાવ્યા બાદ તેમણે બેરી જોન સાથે થીએટર કર્યું. અહીથી તેમના માટે રસ્તાઓ ખુલી ગયા.
તેમને દૂરદર્શન પર પ્રસારિત થતી સીરીયલ 'સ્વાભિમાન'માં તક મળી હતી. આમાં તેઓ એક ગુંડાનાં પાત્રમાં જોવા મળ્યા હતા. તેમની એક્ટિંગ જોઇને સૌ કોઈ તેમના દીવાના બની ગયા હતા. શેખર કપૂરની જ્યારે તેમના પર નજર પડી તો તેમણે મનોજને પોતાની ફિલ્મ 'બેટિંગ ક્વીન'માં સાઈન કરી લીધા હતા.
પરંતુ આ ફિલ્મમાં તેઓ વધારે નોટિસ ન થઇ શક્યા, પરંતુ રાજગોપાલ વર્માની ફિલ્મ 'સત્યા'માં તેઓ છવાઈ ગયા. ત્યાર બાદ 'શૂલ' આવી અને એ પણ હીટ રહી. આ બે ફિલ્મ માટે તેમને ફિલ્મફેરનો બેસ્ટ એક્ટર એવોર્ડ પણ મળ્યો હતો.
ત્યાર બાદ તેમણે પાછળ ફરીને ક્યારેય જોયું નથી. 'પિંજર'માં શાનદાર એકીંગ માટે તેમને નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગેંગ્સ ઓફ વાસેપુરમાં પણ તેમણે કમાલ કરી બતાવી હતી.
પંકજ ત્રિપાઠી માનતા હતા ગુરુ
પંકજ ત્રિપાઠીએ મનોજ બાજપાઈને પોતાના ગુરુ માન્યા હતા. એક વાર તેમણે જણાવ્યુંહતું કે જ્યારે તેઓ હોટલ મૌર્યામાં કામ કરતા હતા, તો તે સમય દરમિયાન ત્યાં મનોજ બાજપાઈ આવીને રોકાયા હતા. તેઓ તેમને મળ્યા અને તેમના આશીર્વાદ લીધા હતા. ત્યાર બાદ જ્યારે મનોજ ચાલ્યા ગયા, તો રૂમ સર્વિસવાળો આવ્યુઓ અને પંકજને કહ્યું કે મનોજ બાજપાઈ પોતાના સ્લીપર છોડતા ગયા છે. જ્યાર બાદ પંકજે તે ચપ્પલ લઇ લીધા. તેઓ એકલવ્યની જેમ તે ચપ્પલ પહેરવા માંગતા હતા, તો તેમનું જીવન સફળ થઇ જશે, એમ તેમનું માનવું હતું. આ કહીને તેઓ ભાવુક થઇ ગયા હતા. જ્યાર બાદ મનોજ બાજપાઈ તેમને ભેટી પડ્યા હતા.
મનોજ બાજપાઈએ ઓટીટી પર ડેબ્યૂ કર્યું ત્યાં પણ પોતાની કમાલ કરી બતાવી. ધ ફેમિલી મેન પાર્ટ વન અને ટૂમાં તો તેઓ લોકોના ફેવરિટ બની ગયા.
પર્સનલ લાઈફ
પર્સનલ લાઈફની વાત કરીએ તો એક્ટરનાં બે લગ્ન થયા છે. પહેલા લગ્ન ચાલ્યા નહીં. ત્યાર બાદ વર્ષ 2006માં તેમણે એક્ટ્રેસ શબાના રઝા સાથે લગ્ન કર્યા હતા અને તેમની એક પુત્રી પણ છે. શબાના રઝા બોલિવુડમાં નેહાનાં નામથી મશહૂર છે.