બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:30 AM, 18 April 2025
ગુડ ફ્રાઈડે ખ્રિસ્તી ધર્મના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. આ દિવસ ભગવાન ઈસુ ખ્રિસ્તના બલિદાનની યાદમાં ઉજવવામાં આવે છે. ગુડ ફ્રાઈડે દર વર્ષે ઇસ્ટર સન્ડે પહેલાના શુક્રવારે આવે છે. આ વર્ષે આ તહેવાર 18 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. ચાલો તમને ગુડ ફ્રાઈડેનું મહત્વ અને ઇતિહાસ જણાવીએ.
ADVERTISEMENT
ગુડ ફ્રાઈડે શા માટે ઉજવવામાં આવે છે?
બાઇબલ મુજબ, ગુડ ફ્રાઈડેના દિવસે, રોમન ગવર્નર પોન્ટિયસ પિલાટના આદેશ પર ભગવાન ઈસુને ક્રૂસ પર ચડાવવામાં આવ્યા હતા. તેમના પર રાજદ્રોહ અને નિંદાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો. ગુડ ફ્રાઈડે એટલે પ્રભુ ઈસુના બલિદાનનો દિવસ. તેમણે માનવજાતના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે પોતાનું બલિદાન આપ્યું. ખ્રિસ્તી ધર્મ અનુસાર, આ દિવસે ભગવાન ઈસુએ માનવજાતના કલ્યાણ માટે પોતાનું બલિદાન આપ્યું હતું.
ADVERTISEMENT
વધુ વાંચોં: અખાત્રીજ પર તમારી રાશિ પ્રમાણે કરો આ સરળ કામ, લક્ષ્મી-નારાયણ વરસાવશે કૃપા
ગુડ ફ્રાઈડે સંબંધિત માન્યતાઓ
ગુડ ફ્રાઈડેનો ઇતિહાસ પ્રથમ સદીમાં જેરુસલેમમાં બનેલી ઘટનાઓ સાથે જોડાયેલો છે. પ્રેમ, કરુણા અને ક્ષમાનો સંદેશ આપનાર ઈસુ ખ્રિસ્તને તે સમયના ધાર્મિક અને રાજકીય નેતાઓ દ્વારા ખતરો માનવામાં આવતો હતો. આ પછી તેની ધરપકડ કરવામાં આવી અને તેને ક્રુસ પર ચડાવવાની સજા ફટકારવામાં આવી. ગુડ ફ્રાઈડે ચોક્કસપણે શોકનો દિવસ છે, પરંતુ તે ઇસ્ટર સન્ડેના આગમનની આશા પણ જગાડે છે. આ દિવસ ઈસુના પુનરુત્થાન, મૃત્યુ પર જીવનનો વિજય અને પાપ પર ક્ષમાનું પ્રતીક છે.
ગુડ ફ્રાઈડે કેવી રીતે ઉજવવામાં આવે છે?
ગુડ ફ્રાઈડે વિશ્વના વિવિધ દેશોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. આ દિવસે ચર્ચમાં ખાસ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવે છે. આ સભાઓમાં, ઈસુને ક્રૂસ પર ચઢાવાની સ્ટોરી વાંચવામાં આવે છે, ભજન ગવાય છે અને ઉપદેશો આપવામાં આવે છે.
આ ઉપરાંત, ગુડ ફ્રાઈડે પર ઘણા ચર્ચોમાં વે ઓફ ધ ક્રોસ નામની એક ખાસ પ્રાર્થના વિધિનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં ઈસુના છેલ્લા દિવસોની ઘટનાઓને યાદ કરવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મના ઘણા લોકો આ દિવસે ઉપવાસ રાખે છે અને માંસાહારી ખોરાક ખાતા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.