બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / Today is a day of great joy for the country, celebrating the 75th anniversary of independence
Hiralal
Last Updated: 05:50 PM, 16 August 2022
આજે ભારત માટે ખાસ દિવસ છે આજથી 75 વર્ષ પહેલા ભારતને અંગ્રજો તરફથી આઝાદી મળી હતી. તે વાતને આજે 75 વર્ષ પુરા થયા છે અને આખો દિવસ ભારે હર્ષોલ્લાસથી તેની ઉજવણી કરી રહ્યો છે. પીએમ મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો. આ પછી પીએમ મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. પીએમ મોદીએ તેમના ભાષણમાં પાંચ મોટા વચનો લેવાનું લોકોને આહવાન કર્યું હતું.
Corruption is damaging country like termite, country will have to fight it: PM Modi
— Press Trust of India (@PTI_News) August 15, 2022
ભ્રષ્ટાચાર સામે લડવું પડશે
પીએમ મોદીએ કહ્યું કે ભારત જેવી લોકશાહીમાં જ્યાં લોકો ગરીબી સામે ઝઝૂમી રહ્યા છે. એક તરફ એવા લોકો છે જેમની પાસે રહેવા માટે જગ્યા નથી. બીજું એ લોકો છે. જેમની પાસે લૂંટાયેલા પૈસા રાખવાની જગ્યા નથી. આપણે ભ્રષ્ટાચાર સામે લડવું પડશે. જેમણે પાછલી સરકારોમાં બેંકોને લૂંટીને ભાગી ગયા હતા. અમે તેમની સંપત્તિ જપ્ત કરી રહ્યા છીએ. ઘણા લોકો જેલમાં છે. અમારો પ્રયાસ એ છે કે જે લોકોએ દેશને લૂંટ્યો છે તેમના માટે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે તેમને લૂંટેલા પૈસા પાછા આપવા પડે. મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચાર ઉધઈની જેમ દેશને ખોખલો કરી રહ્યો છે. મારે તેની સામે લડવું પડશે. મારે તેની સામેની લડત વધુ તીવ્ર બનાવવી પડશે. મારે 130 કરોડ ભારતીયોના સમર્થનની જરૂર છે જેથી હું આ ભ્રષ્ટાચાર સામે લડી શકું.
Two big challenges before the country -- corruption and nepotism: PM Modi
— Press Trust of India (@PTI_News) August 15, 2022
ભારતની સામે બે મોટા પડકાર
પીએમ મોદીએ કહ્યું કે ભારતની સામે બે મોટા પડકાર છે, ભ્રષ્ટાચાર અને પરિવારવાદ. તેમણે કહ્યું કે આપણે દેશને આ બે મોટા પડકારોથી છોડાવવો પડશે. પરિવારવાદની રાજનીતિમાંથી મુક્ત કરવો પડશે. મોદીએ કહ્યું કે દેશને પરિવારવાદમાંથી મુક્ત કરવા માટે હું દેશના યુવાનોનો સહયોગ માગું છું.
Five pledges for 2047 are --having developed India, removing any sign of servility, pride in heritage, unity & fulfilling our duties: PM
— Press Trust of India (@PTI_News) August 15, 2022
પીએમ મોદીએ યુવાનોને કરી મોટી અપીલ
પીએમ મોદીએ યુવાનોને અપીલ કરી હતી કે આઝાદીના 100 વર્ષ પૂરા કરવા માટે અત્યારથી સંકલ્પ લો કે પછી તે વિકસિત દેશ બનશે. માણસ વિકાસના કેન્દ્રમાં રહેશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ પૂરા કરી રહ્યો છે, ત્યારે યુવાનોની ઉંમર 50-55 વર્ષ હશે.
2047 માટે પાંચ વચનો લઈએ
પીએમ મોદીએ દેશના લોકોને 2047 માટે પાંચ વચન લેવાનું આહવાન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે દેશના દરેક નાગરિકે વિકસીત ભારત, દરેક પ્રકારની ગુલામીની મુક્તિ, હેરિટેજનું ગૌરવ, એકતા અને સપના સાકાર કરવા એવા પાંચ વચનો લેવા જોઈએ.
પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી 5 વચનો લેવડાવ્યાં
1. વિકસિત ભારત - હવે દેશ મોટા સંકલ્પો સાથે આગળ વધશે, અને તે મોટો સંકલ્પ ભારત વિકસિત છે અને તેનાથી ઓછું કંઈ નથી.
2. ગુલામીમાંથી મુક્તિ- જો આપણા મનની અંદર ગુલામીનો જરા સરખો પણ અંશ રહી ગયો હશે તો આપણે તેમાંથી નહીં છટકી શકીએ.
3. હેરિટેજનું ગોરવ- પીએમ મોદીએ કહ્યું કે આપણે આપણા વારસા પર ગર્વ કરવો જોઈએ. આ વારસાએ જ ભારતને સુવર્ણ કાળ આપ્યો છે. તે એક વારસો છે જેમાં સમયાંતરે ફેરફારો કરવાની ક્ષમતા છે.
4. એકતા- પીએમ મોદીએ ચોથું વચન એકતાનું લેવડાવ્યું હતું.
5. નાગરિકોને પોતાની ફરજ બજાવવાના સંકલ્પ - પીએમ મોદીએ કહ્યું લોકોએ પોતાની ફરજો સારી રીતે બજાવવાનું વચન લેવું જોઈએ આમાંથી પીએમ, મુખ્યમંત્રી પણ બાકાત નથી.
India is an aspirational society where changes are being powered by a collective spirit. The people of India want positive changes and also want to contribute towards it. Every govt has to address this aspiration society: Prime Minister Narendra Modi at Red Fort#IndiaAt75 pic.twitter.com/iTBkpcJdgv
— ANI (@ANI) August 15, 2022
અમૃતકાળ સમાજના સપના અને ધ્યેયો પૂરા પાડશે
પીએમ મોદીએ કહ્યું કે અમૃતકાળ સમાજના સપના અને ધ્યેયો પૂરા પાડવાની સુવર્ણ તક પુરી પાડી રહ્યો છે. મારા વ્હાલા દેશવાસીઓ! જ્યારે સપના મોટા હોય, સંકલ્પ મોટા હોય ત્યારે પુરુષાર્થ અને શક્તિ પણ મોટી જોઈએ.
India is the mother of democracy. India has proved that it has a precious ability, and faced many challenges during its journey of 75 years: PM Modi at Red Fort#IndiaAt75 pic.twitter.com/qBxb43XDYs
— ANI (@ANI) August 15, 2022
ભારત લોકશાહીની જનની છે, દેશે અમૂલ્ય ક્ષમતા સાબિત કરી છે
પીએમ મોદીએ કહ્યું કે ભારત લોકશાહીની જનની છે. ભારતે અમૂલ્ય ક્ષમતા સાબિત કરી છે અને 75 વર્ષની તેની સફર દરમિયાન ઘણા પડકારો વેઠ્યાં છે.
Be it those who fought for independence or built the nation -Dr Rajendra Prasad, Nehru ji, Sardar Patel, SP Mookerjee, LB Shastri, Deendayal Upadhyaya, JP Narayan, RM Lohia, Vinoba Bhave, Nanaji Deshmukh, Subramania Bharati -it's the day to bow before such great personalities: PM pic.twitter.com/eNrGBs1pUY
— ANI (@ANI) August 15, 2022
પીએમ મોદીએ આઝાદીની વિરાંગનાઓને આપી શ્રદ્ધાંજલિ
પ્રધાનમંત્રીએ રાણી લક્ષ્મી બાઈ અને બેગમ હઝરત મહેલ સહિત ભારતની મહિલા લડવૈયાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું કે ભારત લોકશાહીની જનની છે, આપણે સિદ્ધ કર્યું છે આપણી પાસે એક અનમોલ સામર્થ્ય છે.
During 'Azadi Mahotsav', we remembered our many national heroes. On Aug 14, we remembered the horrors of partition. Today, is the day to remember all citizens of the country who contributed towards taking our country forward in these last 75 years: PM Modi pic.twitter.com/1nd0qlotim
— ANI (@ANI) August 15, 2022
દેશ માટે બલિદાન આપનાર જવાનો, પોલીસકર્મીઓને નમન
પીએમ મોદીએ તેમના રાષ્ટ્રજોગ પ્રવચનમાં કહ્યું કે છેલ્લા 75 વર્ષમાં દેશ માટે મરનાર અને દેશના સંકલ્પ પૂરા કરનાર, દેશના જવાનો, પોલીસકર્મીઓ, શાસકો, અને દેશને આગળ વધારવામાં યોગદાન આપનાર કરોડો લોકોને આજે નમન કરવાનો દિવસ છે.
The citizens are thankful to Bapu, Netaji Subhash Chandra Bose, Babasaheb Ambedkar, Veer Savarkar who gave their lives on the path of duty. Kartvya path hi unka jeevan path raha: Prime Minister Narendra Modi at Red Fort #IndiaAt75 pic.twitter.com/rHuTSeFrr5
— ANI (@ANI) August 15, 2022
દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારતનાં અગણિત ક્રાંતિવિરોએ અંગ્રેજ શાસનનાં પાયા હચમચાવી નાખ્યા, આ તમામ મહાપુરુષોને આજે નમન કરવાનો અવસર છે.
I congratulate all Indians and those who love India on this Independence Day. It is a day to step towards a new direction with a new resolve: PM Modi #IndependenceDay pic.twitter.com/9FFBr3LcOL
— ANI (@ANI) August 15, 2022
નવા સંકલ્પ સાથે નવી દિશામાં પગલું ભરવાનો દિવસ
તિરંગો ફરકાવ્યાં બાદ પીએમ મોદીએ દેશજોગ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આઝાદી દિવસના પાવન પ્રસંગે હું તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું. તેમણે કહ્યું કે નવા સંકલ્પ સાથે નવી દિશામાં પગલું ભરવાનો દિવસ છે.
Delhi | PM Narendra Modi hoists the National Flag at Red Fort on the 76th Independence Day pic.twitter.com/3tzFBvWuOe
— ANI (@ANI) August 15, 2022
પીએમ મોદીએ લાલ કિલ્લા પર ફરકાવ્યો તિરંગો
પ્રધાનમંત્રી મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવીને આઝાદી દિવસની ઉજવણીને ખુલ્લી મૂકી હતી. ધ્વજવંદન કર્યાં બાદ પીએમ મોદીએ તિરંગાને સલામી આપી હતી.
Delhi | PM Modi arrives at Red Fort, received by Defence Minister Rajnath Singh and MoS Defence Ajay Bhatt
— ANI (@ANI) August 15, 2022
He will proceed towards the ramparts of Red Fort for the hoisting of the National Flag#IndependenceDay2022 pic.twitter.com/4O3stkGB7D
લાલ કિલ્લા પર પહોંચ્યાં પ્રધાનમંત્રી મોદી, થોડી વારમાં ફરકાવશે તિરંગો
રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યાં બાદ પીએમ મોદી લાલ કિલ્લા પર પહોંચ્યાં હતા જ્યાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તેમનું સ્વાગત કર્યું હતું.
પ્રધાનમંત્રી મોદી રાજઘાટ પહોંચ્યાં, બાપુને આપી શ્રદ્ધાંજલિ
Delhi | PM Modi pays tribute to Mahatma Gandhi at Rajghat on the 76th Independence Day pic.twitter.com/1UFpkoVoAR
— ANI (@ANI) August 15, 2022
આઝાદી દિવસના કાર્યક્રમની શરુઆત થઈ ચૂકી છે. પીએમ મોદી રાજઘાટ પહોંચ્યાં હતા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાજંલિ આપી હતી. રાજઘાટ મહાત્મા ગાંધીની સમાધિ છે.
Prime Minister Narendra Modi expected to begin delivering his address from the ramparts of the Red Fort at 7.33 am, on #IndependenceDay
— ANI (@ANI) August 15, 2022
(File photo) pic.twitter.com/khcIBp5lAU
Defence Minister Rajnath Singh hoists national flag at his residence in Delhi on the occasion of #IndependenceDay pic.twitter.com/8Vu0X0l9S0
— ANI (@ANI) August 15, 2022
PM Modi extends greetings to citizens on India's 76th Independence Day
— ANI Digital (@ani_digital) August 15, 2022
Read @ANI Story | https://t.co/2PkYX2Wued#PMModi #76thIndependenceDay #RedFort #AzadiKaAmritMahotsav pic.twitter.com/Ftfbke8MJm
પીએમ મોદીએ દેશવાસીઓને 76મા આઝાદી દિવસની શુભકામના પાઠવી
પીએમ મોદીએ દેશવાસીઓને 76મા આઝાદી દિવસની શુભકામના પાઠવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તિરંગો ફરકાવીને આઝાદી દિવસ મનાવ્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તેમના નિવાસસ્થાન તિરંગો ફરકાવ્યો હતો.
જાણો પીએમ મોદીનો કાર્યક્રમ
7:06 am = PM મોદી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર ફૂલ અર્પણ કરશે
7:14 વાગ્યે રાજઘાટથી લાલ કિલ્લા માટે રવાના થશે
7:18 વાગ્યે લાહોરી ગેટ પર RM, RRM અને ડિફેન્સ સિક્યુરિટી સાંજે લાહોરી ગેટ પર PM લેવા જશે.
7:20 - લાલ કિલ્લા પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે
7:30 pm - વડાપ્રધાન લાલ કિલ્લાના કિલ્લા પર દેશનો ત્રિરંગો ધ્વજ ફરકાવશે
સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સશસ્ત્ર દળો અને દિલ્હી પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.
રાષ્ટ્રગીત વગાડવાની સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે અને 21 તોપોની સલામી આપવામાં આવશે. પ્રથમ વખત, ઘરેલું હોવિત્ઝર બંદૂક, ATAGS, ઔપચારિક 21-ગન સલામીમાં ઉપયોગમાં લેવાશે. આ બંદૂક સંપૂર્ણપણે સ્વદેશી છે, ડીઆરડીઓ દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે
ભારતીય વાયુસેના હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા કરશે.
પીએમ મોદીના ભાષણ બાદ રાષ્ટ્રગીત ગાવામાં આવશે.
બાદમાં સમારોહના અંતે આકાશમાં તિરંગાના ફુગ્ગા છોડવામાં આવશે
જે બાદ 'એટ હોમ' રિસેપ્શનનું આયોજન રાષ્ટ્રપતિ ભવન ખાતે કરવામાં આવ્યું
તો ગુજરાત સરકારે આ વર્ષે સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અરવલ્લી જીલ્લામાં આયોજીત કરી છે.સંબંધિત રાજ્યોની રાજધાનીઓ, જિલ્લા મુખ્યાલયો, પેટા વિભાગો, બ્લોક્સ, ગ્રામ પંચાયતો અને ગામડાઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની વિધિ સવારે 9 વાગ્યા પછી શરૂ થશે.
લાલ કિલ્લા પરથી પીએમનું સંબોધન
15મી ઓગસ્ટ 1947એ દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો
15મી ઓગસ્ટના દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવમાં આવે છે
આઝાદીની લડતમાં સફળતા મળી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવાય છે
ભારતના પ્રધાનમંત્રી લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે
લાલ કિલ્લાથી પ્રધાનમંત્રી દેશવાસીઓને પ્રજાજોગ સંદેશ આપે છે
પ્રધાનમંત્રી પ્રજાજોગ સંબોધનમાં સરકારની પાછલા વર્ષની સિદ્ધિઓ વર્ણવે છે
પ્રધાનમંત્રી દેશવાસીઓને મહત્ત્વનાં મુદ્દાઓ જણાવે છે
પ્રધાનમંત્રી આઝાદીની ચળવળનાં નેતાઓને શહિદોને શ્રદ્ધાંજલિ આપે છે
ભારતીય રાષ્ટ્રગીત, " જન ગણ મન " ગવાય છે
રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતોમાં ધ્વજવંદનનું કાર્યક્રમ યોજાય છે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners