જામનગર રાજાશાહીની અમુલ્ય દેન સમાન શહેર છે. જામનગરના પૂર્વ રાજવીઓએ જામનગરની પ્રજાના હિત માટે કરેલા કાર્યો અને દૂરંદેશી આયોજનો લાભ આજેપણ લોકોને મળી રહ્યાં છે. જામનગર શહેરમાં આજે પણ રાજાશાહી સમયની ભવ્ય અને કલા કારીગરીના નમુના સમાન કેટલીય ઐતિહાસિક ઈમારતો આવે છે. તેમાં ખંભાળિયા ગેટ, ભુજીયો કોઠો, લાખોટા તળાવ, માંડવી ટાવર, પંચેશ્વર ટાવર સહિતની ઈમારતો રાજાશાહી જીવંત હોવાનો પુરાવો આપે છે. આવા ઐતિહાસિક શહેર જામનગરનો આજે 481મો સ્થાપના દિવસ છે.
જામનગરનો 481મો સ્થાપના દિવસ
ખાંભીનું પૂજન કરાયું, સ્થાનિકોમાં હર્ષની લાગણી
રાજ્યના મંત્રી, મેયર, રાજવી પરિવારની હાજરી
સૌરાષ્ટ્રનું પેરિસ, છોટીકાશી, આવા ઉપનામોથી જામનગર જાણીતું છે. કોરોના મહામારીના કારણે ઇતિહાસમાં પ્રથમવાર સાદગીથી ઉજવણી કરવામાં આવી છે. આજે સૌ કોઈ જામનગરવાસીઓમાં હર્ષની લાગણી જોવા મળી છે. જામનગરની સ્થાપનાનું ખાંભીનું પૂજન રાજ્યના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર સહીતના પદાધિકારીઓ તેમજ રાજવી પરિવાર દ્વારા ખાંભી પૂજન કરાયું છે.
જામનગરનો આજે ૪૮૧મો સ્થાપના દિવસ
૦૦૦૦૦૦
રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા દ્વારા થાંભલી પુજન કરાયું pic.twitter.com/HyMck0Ilnw
— Info Jamnagar GoG (@mahitijamnagar1) July 27, 2020
શ્રાવણ સુદ સાતમ એટલે આજથી બરાબર 480 વર્ષ પહેલા જામનગર શહેરની સ્થાપના થઇ હતી. આજે જામનગર 481 વર્ષમાં પ્રવેશ્યું છે. ત્યારે આજે સૌ જામનગરવાસીઓમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.
દર વર્ષ સ્થાપના દિવસની ઉજવણી અને ખાંભી પૂજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. આજે પણ દરબારગઢ નજીક દિલાવર સાયકલ સ્ટોર્સમાં આવેલ જામનગરની સ્થાપના ખાંભીનું પૂજન રાજ્યના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર સહીતના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું. તેમજ જામનગરના રાજવી પરિવાર અને ક્ષત્રિય સમાજ દ્વારા પણ ખાંભી પૂજન કરવામાં આવે છે. સોશ્યલ ડિસ્ટન્સ અને મોં પર માસ્ક બાંધી સાદગીપૂર્વક જામનગરના સ્થાપના દિવસની આજે ઉજવણી કરવામાં આવી હતી.
આ સ્થાપના દિવસને લઇને જામનગરના સાંસદ પુનમબેન માડમે શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, "સૌરાષ્ટ્રના પેરિસ" અને "છોટીકાશી" ગણાતા,વૈવિધ્યસભર અને ગૌરવપૂર્ણ વારસો ધરાવતા, ભવ્ય નગર જામનગરના,૪૮૧ માં સ્થાપના દિન નિમિતે, સૌ નગરજનોને હ્રદયપૂર્વકની શુભકામનાઓ.
"સૌરાષ્ટ્રના પેરિસ" અને "છોટીકાશી" ગણાતા,વૈવિધ્યસભર અને ગૌરવપૂર્ણ વારસો ધરાવતા, ભવ્ય નગર જામનગરના,૪૮૧ માં સ્થાપના દિન નિમિતે, સૌ નગરજનોને હ્રદયપૂર્વકની શુભકામનાઓ.#JamnagarSthapanaDiwaspic.twitter.com/9w8ODggGQz