ત્યારે વિશેષમાં જણાવી દઇએ કે, IPL મેચને લઇને અમદાવાદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શહેરમાં DCP કક્ષાના 17 અધિકારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે. તો બીજી બાજુ 28 ACP, 91 PI અને 268 PSI પણ બંદોબસ્તમાં તૈનાત રહેશે. આ સાથે 5 હજાર કોન્સ્ટેબલ અને 1 હજાર ગોમ ગાર્ડ તૈનાત રહેશે. SRPની 3 કંપનીઓ પણ બંદોબસ્તમાં તૈનાત રહેશે.
29મેના રોજ IPLમાં અમિત શાહ આપશે હાજરી
અમદાવાદના દુનિયાની સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં IPL 2022ની ક્વાલિફાયર અને ફાઈનલ મેચ રમાવાની છે. 27 અને 29 મે IPL મેચને લઇને શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 29 મે IPL મેચમાં હાજરી આપશે. જેને લઇને હાલમાં સુરક્ષાને લઇને કોઇ ચૂક ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
સૌને સરકારી બસનો ઉપયોગ કરવા પોલીસની અપીલ
આ અંગે ટ્રાફિક વિભાગના JCP મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે, 'કોઇ પણ પ્રકારની અગવડ ના પડે તે માટે ચુસ્ત વ્યવસ્થા ઊભી કરી દેવાઇ છે. એક રોડ બંધ કરી ડાયવર્ઝન કરાયો છે. જનપત ટીથી મોટેરા સુધીનો રોડ બંધ રાખવામાં આવશે. જ્યારે ખેલાડીઓને લઈ જવા માટેનો રોડ અલગ રહેશે.' સૌને સરકારી બસનો ઉપયોગ કરવા પોલીસે અપીલ કરી છે. 56 BRTS અને 60 AMTS રાખવામાં આવી છે. અડચણરૂપ પાર્કિગ કરનારા વાહનને ટોઇંગ કરાશે. 23 પ્લોટ ફોર વ્હીલર, 8 પ્લોટ ટુ વ્હીલર પાર્કિગ માટે છે. ઓનલાઇન પાર્કિંગ લેવામાં આવશે.'
1.20 લાખ લોકો IPL મેચને નિહાળશે
તમને જણાવી દઇએ કે, 27 અને 29 મેના રોજ રમાનારી IPL મેચને લઈને પોલીસનો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. લાખોની સંખ્યામાં લોકો મેચ જોવા આવશે. એકતા ગ્રાઉન્ડમાં સ્પોર્ટ એક્ટિવિટી પબ્લિક માટે મૂકવામાં આવશે. 240 પોલીસ ક્વાર્ટસનું લોકાર્પણ થશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં 5 હજાર લોકો હાજર રહેશે. આ સાથે નારણપુરામાં બીજો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે કે જ્યાં ઇન્ટરનેશનલ સ્પોર્ટ કલબનું ઉદ્ધાટન થશે. મોટેરા સ્ટેડિયમમાં રમાવા જઇ રહેલી IPL મેચમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 1.20 લાખ લોકો આ મેચને નિહાળશે.
29મેના રોજ પોલીસ કર્વાટર્સનું કરશે લોકાર્પણ
તો આ તરફ 29 મેના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના હસ્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની હાજરીમાં ખેડા જીલ્લાના નડિયાદ ખાતેથી રાજ્યના પોલીસ વિભાગ માટે ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલ કુલ-57 નવનિર્મિત રહેણાંક અને બિન રહેણાંક મકાનોના લોકાર્પણ કરાશે. કેન્દ્રીય ગૃહ મંત્રીના વરદ હસ્તે ખેડા સહિત રાજ્યના અન્ય 25 જીલ્લાઓ ખાતે તૈયાર થયેલ પોલીસ વિભાગના મકાનોનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે.
અમદાવાદના નારણપુરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનશે. નારણપુરાના વરદાન ટાવરની બાજુમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે. જેના ભૂમિપૂજન માટે અમિત શાહ 29મેના રોજ અમદાવાદ આવશે. ભૂમિપૂજન કાર્યક્રમને લઇને તમામ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. વિશાળ ડોમ બાંધવામાં આવ્યો છે, લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અમિત શાહ જાહેર જનતાને સંબોધન પણ કરવાના છે. આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ વરદાન ટાવર પાસે અંદાજીત 82,507 ચોમી ક્ષેત્રફળવાળા પ્લોટમાં વિકસાવવામાં આવશે. અંદાજિત 284 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ છે તે પાર પાડવાની શક્યતાઓ દર્શાવી છે.