દેશમાં આજે ફરી કોરોનાનો ગ્રાફ થોડો વધ્યો છે. છેલ્લાં 24 કલાકમાં આજે કોરોનાના નવા 2,451 કેસ સામે આવ્યા જે ગઇ કાલ કરતા વધારે છે.
દેશમાં આજે ફરી કોરોનાનો ગ્રાફ વધ્યો
છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2,451 કેસ
દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે
ભારતમાં આજે છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2,451 કેસ નોંધાયા છે. આ સંખ્યા ગુરુવારની સરખામણીએ થોડી વધારે છે. સતત ત્રીજા દિવસે 2 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ પહેલાં ગુરુવારે 2,380 કેસ નોંધાયા હતા. દેશમાં હાલમાં કોરોનાના 14,241 એક્ટિવ કેસ બચ્યા છે.
ભારતમાં કોરોનાના દૈનિક કેસમાં વધારો થયો છે. દેશમાં એક દિવસમાં દેશમાં કોરોનાના નવા કેસ 2 હજાર 451 નોંધાયા છે. જ્યારે એક દિવસમાં કોરોનાથી 1 હજાર 589 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે 54ના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના એક્ટિવ કેસ 14 હજાર 241 થઇ ગયા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 0.03 ટકાએ યથાવત છે. દેશમાં હાલમાં કોરોનાના કુલ કેસ 4 કરોડ 30 લાખ 52 હજાર 425 એ પહોંચ્યા છે. જ્યારે કોરોનાથી કુલ રિકવર દર્દીઓની સંખ્યા 4 કરોડ 25 લાખ 16 હજાર 68 એ પહોંચી છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 52 લાખ 21 હજાર 116એ પહોંચ્યો છે.
દિલ્હી-એનસીઆરની વાત કરીએ તો અહીં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યાં છે. ગુરુવારે રાત્રે દિલ્હીમાં કોરોનાના 965 કેસ નોંધાયા હતા.
9 પેટા વેરિઅન્ટના કારણે દિલ્હીમાં વધી રહ્યાં છે કોરોના કેસ
દિલ્હીમાં કોરોના કેસ વધવા પાછળનું મુખ્ય કારણ બીએ.2.12.1 સહિત કુલ 9 વેરિયન્ટ જવાબદાર હોવાનું જિનોમ સિકવન્સિંગમાં સામે આવ્યું છે. સરકારી સૂત્રોએ કહ્યું કે દિલ્હીમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસ પાછળ ઓમિક્રોનના નવ પેટા-પ્રકારો છે. દિલ્હીમાં, જીનોમ સિક્વન્સિંગમાં બીએ.2.12.1 સહિત ઓમિક્રોનના 9 પ્રકારોની પુષ્ટિ થઈ છે.
9 વેરિઅન્ટમાં દિલ્હીમાં મચાવી રહ્યાં છે તરખાટ
જિનોમ સિકન્વસિંગમાં એવો પણ ખુલાસો થયો છે કે દિલ્હીમાં હાલમાં કોરોનાના 9 પેટા વેરિઅન્ટ તરખાટ મચાવી રહ્યાં છે અને તેને કારણે દિલ્હીમાં કોરોના કેસ વધતા જ રહેશે.
દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે
દિલ્હીમાં કોરોનાની ગતિ યથાવત છે. છેલ્લાં ઘણાં દિવસોથી દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દિલ્હીમાં સંક્રમણનો દર 5.70 ટકા પર પહોંચી ગયો છે. હવે ચિંતાની વાત એ છે કે 10 ફેબ્રુઆરી બાદ રાજધાનીમાં કેસ ફરી એક વાર હજારનો આંકડો પાર કરી ગયા છે. ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે અને લોકોના મનમાં સવાલ છે કે નવા કેસ કોરોનાની ચોથી લહેરને કારણે આવી રહ્યાં છે પરંતુ દેશના મોટા ડોક્ટરે આ ચિંતાને નકારી કાઢી છે. ICMRના પૂર્વ ડિરેક્ટર અને દેશના મોટા ડોક્ટર રમણ આર ગંગાખેડકરે કહ્યું કે મને નથી લાગતું કે ભારતમાં હાલ કોરોનાની ચોથી લહેર આવી છે. સમગ્ર વિશ્વ BA.2 વેરિઅન્ટનો સાક્ષી બની રહ્યું છે અને લોકો પર અસર પાડી રહ્યું છે. આપણામાંથી કેટલાક ખોટું સમજ્યાં છે કે હવે કોરોના મહામારી ગઈ એટલે માસ્કની જરુર નથી, આવા લોકો માસ્ક ઉતારી મૂક્યું છે.
ભારતમાં કોરોનાનો કોઈ નવો વેરિઅન્ટ નથી
ગંગાખેડકરે કહ્યું કે હાલમાં ભારતમાં કોઈ નવો વેરિઅન્ટ સામે આવ્યો નથી.જે લોકો વૃદ્ધ છે, જેમણે હજુ સુધી વેક્સિન લીધી નથી, જેઓ અત્યાર સુધી સંક્રમિત થયા છે, તેમણે ફેસમાસ્ક પહેરવાનું યાદ રાખવું જોઈએ.
દિલ્હીમાં માસ્ક લગાવવું ફરજિયાત
દિલ્હીમાં હવે માસ્ક લગાવાનું ફરજિયાત થઈ ગયું છે. માસ્ક ન લગાવા પર 500 રૂપિયાનો દંડ આપવો પડશે. આ અગાઉ દિલ્હીમાં ફેસ માસ્ક ન પહેરવા પર દંડ હટાવી દીધો હતો. સોશિયલ ડિસ્ટેન્સિંગનો ખ્યાલ રાખવો પડશે. સાથે જ કોરોના રસીકરણ પર પણ ભાર આપવાની વાત કરવામાં આવી છે. શાળાઓ બંધના ડરે વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતિત છે. જો આ બેઠક બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે, દિલ્હીમાં સ્કૂલો સમગ્રપણે બંધ થશે નહીં.