દેશમાં હવે ધીરે-ધીરે કોરોનાનાં કેસો તો ઘટી રહ્યાં છે પરંતુ સામે મૃત્યુઆંકની સંખ્યામાં વધારો થતા દેશ સામે વધુ એક ચિંતાનજક બાબત સામે આવી છે કે આખરે દેશમાં કેમ મૃત્યુઆંક વધી રહ્યો છે.
દેશમાં કોરોનાનાં ઘટતા કેસો સામે વધુ એક ચિંતાજનક સ્થિતિ
દેશમાં આજે જીવલેણ કોરોનાના કેસોમાં થોડો ઘટાડો થયો છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં જ કોરોનાના 6 હજાર 396 નવા કેસ નોંધાયા છે તો 201 લોકોના મોત થયા છે. ગઈ કાલે 6 હજાર 561 કેસ અને 142 મોત નિપજ્યાં હતાં. એટલે કે ગઈ કાલની સરખામણીએ આજે કેસમાં થોડોક ઘટાડો નોંધાયો છે. પરંતુ સામે મૃત્યુઆંકમાં થોડો વધારો નોંધાયો છે. ત્યારે હવે દેશમાં કેવી છે કોરોનાની વર્તમાન સ્થિતિ તેની પર કરીશું એક નજર.....
India reports 6,396 fresh #COVID19 cases, 13,450 recoveries, and 201 deaths in the last 24 hours.
Active case: 69,897 (0.16%)
Daily positivity rate: 0.69%
Total recoveries: 4,23,67,070
Death toll: 5,14,589
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગઈ કાલે દેશમાં 13 હજાર 450 લોકો સાજા થયા હતાં ત્યાર બાદ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 69 હજાર 897 થઈ ગઈ છે. આ સાથે કોરોનાના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પણ વધીને 5 લાખ 14 હજાર 589 થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 4 કરોડ 23 લાખ 67 હજાર 70 લોકો સંક્રમણમુક્ત થઈ ચૂક્યાં છે.
મહારાષ્ટ્રમાં 467 નવા કેસ તો 12નાં મોત
મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોના સંક્રમણના કારણે 12ના મોત થયા છે તો સંક્રમણના નવા કેસ 467 સામે આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, આજે આવેલા કોરોનાના નવા કેસોમાંથી 243 કેસ ઓમિક્રોન સ્વરૂપનાં છે. એમાંય નોંધપાત્ર બાબત એ છે કે, મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના સંક્રમણથી એક પણ મોત થયું નથી. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 78,67,391 લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે તો સંક્રમણનાં કારણે 1,43,718 લોકોના મોત થયા છે. બુધવારે રાજ્યમાં કોરોનાના નવા 544 કેસ નોંધાયા હતાં પરંતુ કોવિડના કારણે કોઈનું મૃત્યુ નથી થયું. રાજ્યમાં છેલ્લી વખત 1 એપ્રિલ, 2020 ના રોજ કોરોનાથી કોઈ દર્દીનું મૃત્યુ થયું હતું.
દેશમાં અત્યાર સુધીમાં અંદાજે 178 કરોડ ડોઝ આપી દેવાયાં
દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના લગભગ 178 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે. ગઈ કાલનાં 24 લાખ 84 હજાર 412 ડોઝ આપવામાં આવ્યા હતાં. ત્યાર બાદ અત્યાર સુધીમાં વેક્સિનનાં 178 કરોડ 29 લાખ 13 હજાર 60 ડોઝ આપવામાં આવ્યાં. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર, આરોગ્ય કર્મચારીઓ, કોરોના યોદ્ધાઓ અને અન્ય રોગોથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરવાળા અન્ય બીમારીથી પીડાતા લોકોને 2 કરોડ (2,03,69,898) થી વધુ નિવારક રસી આપવામાં આવી. દેશમાં કોરોના વિરોધી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી, 2021 થી શરૂ કરાયું હતું અને આરોગ્ય કર્મચારીઓને પ્રથમ તબક્કામાં વેક્સિન અપાઇ હતી. આ સાથે કોરોના યોદ્ધાઓ માટે રસીકરણ અભિયાન 2જી ફેબ્રુઆરીથી શરૂ કરાયું હતું.