કેન્દ્રના બે મંત્રીઓ આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહ સુરત તેમજ વિદેશમંત્રી એસ. જયશંકર નર્મદા જિલ્લાની મુલાકાત લેશે. રાજનાથસિંહ 'એક શામ શહીદો કે નામ' કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે જ્યારે એસ. જયશંકર સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાત તેમજ અન્ય કાર્યક્રમોમાં હાજર રહેશે.
વિદેશમંત્રી એસ. જયશંકર બે દિવસીય નર્મદા જિલ્લાની મુલાકાતે
નર્મદા જિલ્લા માટે પાસપોર્ટ સેવાનું ઉદ્ધાટન કરશે
'એક શામ શહીદો કે નામ' કાર્યક્રમમાં રાજ્યપાલ ઉપસ્થિત રહેશે
વિદેશ મંત્રી એસ. જયશંકર નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે
દેશના વિદેશ મંત્રી એસ. જયશંકર આજરોજ ગુજરાત આવશે. તેઓ બે દિવસીય નર્મદા જિલ્લાની મુલાકાતે આવી રહ્યાં છે. જેમાં વિદેશમંત્રી નર્મદા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટિની મુલાકાત લેશે.
એસ. જયશંકર એસ્પીરેશનલ ડિસ્ટ્રીકટ બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ સાથે નર્મદા જિલ્લા માટેના પાસપોર્ટ સેવા કેન્દ્રનું ઉદ્ધાટન કરશે. વિદેશ મંત્રી એસ. જયશંકર નર્મદા ખાતે ભાજપના કાર્યકરો સાથે બેઠક પણ યોજશે.
રક્ષામંત્રી રાજનાથસિંહ આજે સુરતની મુલાકાતે
રક્ષામંત્રી રાજનાથસિંહ આજે સુરત ખાતે 'એક શામ શહીદો કે નામ' કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેશે. આ સાથે કથાકાર મોરારિબાપુ આ કાર્યક્રમમાં હાજરી આપશે.
આ કાર્યક્રમમાં રાજનાથસિંહ 120 જેટલા શહીદ જવાનોના પરિવારોનું સન્માન કરશે. આ દરમિયાન રક્ષામંત્રી દરેક પરિવારને અઢી લાખનો ચેક એનાયત કરશે. 'એક શામ શહીદો કે નામ' કાર્યક્રમમાં દેશના 24 રાજ્યોમાંથી શહીદ જવાનોના પરિવાર આવશે.