આજનો 23 સપ્ટેમ્બર અને સોમવાર નો દિવસ અનેકવિધ રીતે ખગોળીય વિશેષતાવાળો બન્યો છે . આજે દિવસ અને રાત્રિનો સમયગાળો એક સરખો રહેશે. આજના દિવસને શરદ સંપાત તરીકે પણ ઓળખવામાં આવે છે. પૃથ્વી પરનું ઋતુચક્ર સૂર્યની સ્થિતિને આધારિત છે. આ પદ્ધતિને સાયન પદ્ધતિ કહે છે. આ પદ્ધતિમાં વર્ષમાં ચાર દિવસ મહત્વના આવે છે. આ પૈકીનો એક દિવસ 23મી સપ્ટેમ્બર ગણવામાં આવે છે. આજે અમદાવાદમાં સૂર્યનો ઉદય સવારે 6: 28 મિનિટ થયો હતો જયારે અને અસ્ત સાંજે 6:35 મિનિટે થશે.
વર્ષમાં 2 વાર બને છે આ ભૌગોલિક ઘટના
ઋતુચક્રના આ પરિવર્તન માટે સૂર્યની સ્થિતિ જવાબદાર
આજનો સરેરાશ દિવસ ૧૧ કલાકને ૫૮ મિનિટનો રહેશે
રાત અને દિવસ બંને એક સરખા રહેશે
આ દિવસને શરદ સંપાત તરીકે ઓળખવામાં આવે છે
સૂર્યના કિરણો બરાબર વિષવવૃત પરપડી રહયા છે આથી દિવસ અને રાતનો સમયગાળો એક સરખો થશે. આ દિવસને શરદ સંપાત તરીકે પણ ઓળખવામાં આવે છે. આજની એક વધુ વિશેષતા એ રહેશે કે આજે સૂર્ય બરાબર પૂર્વમાં ઉગ્યો હતો અને પશ્ચિમમાં આથમશે. બાકીના દિવસોમાં સૂર્ય પૂર્વથી થોડો દક્ષિણ દિશામાં ઉગતો હોય છે. 20મી માર્ચથી 23 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગોળાર્ધમાં સૂર્યનું ભ્રમણ રહે છે. માટે આવતી કાલથી સૂર્યનું ભ્રમણ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં થશે.
ઋતુચક્રના આ પરિવર્તન માટે સૂર્યની સ્થિતિ જવાબદાર
અમદાવાદ સહિત દેશભરના લોકોએ માર્ચ-2019 ની તા.૨૧-૨૨મી એ દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કર્યો હતો અને જૂન તા.૨૧મીએ લાંબામાં લાંબો દિવસનો અનુભવ કર્યા પછી શરદ સંપાતના કારણે સોમવાર તા.૨૩મી સપ્ટેમ્બરે દિવસ- રાત સરખા હોવાનો અદ્દભૂત અનુભવ માણવા નો મોકો મળશે. ઋતુચક્રના આ પરિવર્તન માટે સૂર્યની સ્થિતિ જવાબદાર છે. આમા વર્ષમાં જે ચાર દિવસો મહત્વના છે તેમાં ૨૩ મી સપ્ટેમ્બર ઉપરાંત 21મી ડિસેમ્બર, 20મી માર્ચ અને 21મી જૂનનો સમાવેશ થાય છે. જેમાં 21મી ડિસેમ્બરે નાનામાં નાનો દિવસ, 21મી જૂને મોટામાં મોટા દિવસનો પણ સમાવેશ થાય છે તો 20મી માર્ચે દિવસ-રાત એક સમાન હોય છે.આમ વર્ષમાં આ ચાર દિવસો ખગોળીય બનાવોને લીધે સૌથી અગત્યના ગણાય છે.
વર્ષમાં 2 વાર બને છે આ ભૌગોલિક ઘટના
દેશમાં સરેરાશ દિવસ ૧૧ કલાકને ૫૮ મિનિટનો રહેશે. દેશમાં સૂર્યોદય-સૂર્યાસ્તમાં સામાન્ય તફાવતના કારણે ૩ મિનિટથી ૭ મિનિટનો તફાવત ધ્યાને રાખી ગણત્રી કરવામાં આવે છે. દિવસ- રાતનો સામાન્ય તફાવત જોવા મળશે. પૃથ્વીની ધરી સૂર્ય તરફ કે તેનાથી વિપરીત બાજુએ ઢળેલી કે વળેલી ન હોય ત્યારે સૂર્યનું કેન્દ્ર અને પૃથ્વીની વિષુવવૃત્ત રેખા એક જ કક્ષામાં આવી જાય છે. આ સ્થિતિમાં સૂર્યના કિરણો પૃથ્વીની વિષુવવૃત રેખા પર સીધા પડે છે, જેના પરિણામે પૃથ્વી પર દિવસ અને રાતનો સમયગાળો સમાન 12-12 કલાકનો થઈ જાય છે.આ ભૌગોલિક ઘટનાને ઇક્વિનોક્સ એટલે કે સમપ્રકાશીય કે વિષુવકાલ કહેવાય છે, જે વર્ષમાં બે વખત જોવા મળે છે.