આજે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળશે. લોકસભાના ગુજરાતમાં મતદાન બાદ કેબિનેટ બેઠક મળી રહી છે. જેમાં રાજ્યમાં પાણીની વ્યવસ્થાના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રી રૂપાણી રાજ્યમાં પાણી વિતરણ મુદ્દે પણ સમીક્ષા કરશે.
આ સાથે જ ગુજરાતના ડેમોની સ્થિતિ અંગે માહિતી મેળવશે. તદઉપરાંત જળ સંચય અને સુજલામ સુફલામ અભિયાન વિશે પણ ચર્ચા કરશે. કેબિનેટ બેઠકમાં તુવેર કૌભાંડ અને કાલોલ અનાજ કાંડના મુદ્દાને પણ સ્થાન મળી શકે છે. તેમજ વિવિઝ યોજનાના અમલીકરણ તેમજ કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી શકે છે.
દર બુધવારે યોજાય છે બેઠક
ઉલ્લેખનીય છે કે,દરેક માસના બુધવારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની એક કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના અધ્યક્ષ સ્થાને રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્ર કક્ષાએ વડાપ્રધાન હોય છે. ત્યારે આજરોજ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાનાર રૂપાણી સરકારની કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.