ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે. દર મહિનામાં બે ચતુર્થી આવે છે. એક કૃષ્ણ પક્ષમાં અને બીજી શુક્લ પક્ષમાં. શુક્લ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી માનવામાં આવે છે. ચૈત્ર માસની શુક્લ પક્ષની ચતુર્થી તિથિને ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થીના નામથી ઓળખવામાં આવે છે.
દર મહિનામાં આવે છે બે ચતુર્થી
શુક્લ પક્ષની ચતુર્થીને કહેવાય છે ભાલચંદ્ર ચતુર્થી
જાણો શુભ મુહૂર્ત અને પૂજાનો સમય
ચૈત્ર માસની શુક્લ પક્ષની ચતુર્થી તિથિને ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થીનો તહેવાર માનવામાં આવે છે. આ વખતે ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થી 11 માર્ચ 2023 શનિવાર એટલે આજે ઉજવવામાં આવી રહી છે. આ દિવસે વિધિ વિધાનથી ભગવાન ગણેશની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
ગણપતિ પૂજાથી જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. માટે તેમને વિધ્નહર્તા અને સંકટમોચકના નામથી જાણવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે કથા સાંભળવાથી ભગવાન ગણેશ ખૂબ જ પ્રસન્ન થાય છે. તો આવો જાણીએ ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થીનું શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને કથા વિશે વિસ્તારથી.
ચતુર્થી તિથિ સમાપ્ત- માર્ચ 11, 2023થી રાત્રે 10:05 મિનિટ પર
સંકષ્ટી ચતુર્થીની વ્રત કથા
હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર એક વખત ભગવાન શિવ અને માતા પાર્વતી નદી કિનારે બેઠા હતા. ત્યાં જ અચાનક માતા પાર્વતીને ચોપાટ રમવાની ઈચ્છા થઈ પરંતુ ત્યાં એ બન્નેના સિવાય ત્રીજુ કોઈ ન હતું જે આ રમતમાં નિર્ણાયક ભુમિકા નિભાવી શકે.
શિવજી અને પાર્વતીએ મળીને એક માટીની મૂર્તિ બનાવી અને તેમાં જીવ નાખ્યો અને તેને રમતમાં યોગ્ય નિર્ણય લેવાનો આદેશ આપ્યો. રમતમાં માતા પાર્વતી શિવજીને વારંવાર મ્હાત આપી રહ્યા હતા.
માતા પાર્વતી થયા ક્રોધિત
રમતમાં એક વખત ભૂલથી બાળકે માતા પાર્વતીને હારેલા જાહેર કર્યા. માતા પાર્વતીએ ગુસ્સામાં આવીને બાળકને શ્રાપ આપી દીધો અને ત્યારે તે લંગડો થઈ ગયો. બાળક પોતાની ભૂલ માટે માતા પાર્વતિ પાસે વારંવાર માફી માંગતો રહ્યો.
બાળકના નિવેદનને જોતા માતાએ કહ્યું કે હવે પરત ન લઈ શકાય પરંતુ એક ઉપાયથી શ્રાપથી મુક્તિ લઈ શકાય છે. માતાએ કહ્યું કે સંકષ્ટી વાળા દિવસે પૂજા કરવા આ જગ્યા પર અમુક કન્યાઓ આવે છે તુ તેમને વ્રતની વિધિ પૂછજે અને સાચા મનથી વ્રત કરજે.
બાળકે શ્રદ્ધાપૂર્વક કર્યુ વ્રત
બાળકે વ્રતની વિધિ જાણી શ્રદ્ધાપૂર્વક સંકષ્ટીનું વ્રત કર્યું. તેની સાચી આરાધનાથી ભગવાન ગણેશ પ્રસન્ન થયા અને તેના પાસે વરદાન માંગતા કહ્યું. બાળકે માતા પાર્વતી અને ભગવાન શિવની પાસે જવાની ઈચ્છા દર્શાવી. ભગવાન ગણેશે બાળકને શિવ લોક પહોંચાડી દીધી પરંતુ જ્યારે તે ત્યાં પહોંચ્યો તો તેમને ફક્ત ભગવાન શિવ જ મળ્યા.
માતા પાર્વતી ભગવાન શિવથી નારાજ થઈને કૈલાશ છોડીને જતા રહ્યા હતા. જ્યારે શિવજીએ બાળકને પુછ્યું કે તમે અહીં કઈ રીતે આવ્યા તો તેણે જણાવ્યું કે ગણેશજીની પૂજાથી તેમને આ વરદાન પ્રાપ્ત થયું છે. આ જાણીને ભગવાન શિવે પણ માતા પાર્વતીને મનાવવા માટે સંકષ્ટીનું વ્રત કર્યું અને ત્યાર બાદ માતા પાર્વતી ભગવાન શિવથી પ્રસન્ન થઈને કૈલાશ પરત આવી ગયા હતા.
ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થીના શુભ યોગ
ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થી પર ઘણા શુભ યોગ બનવા જઈ રહ્યા છે.
અભિજીત મુહૂર્ત બપોરે 12:7 વાગ્યાથી 12:55 વાગ્યા સુધી