30 મેથી શરૂ થનારા વર્લ્ડ કપમાં વિરાટ કોહલીની ટીમમાં કયા 14 ક્રિકેટરો શામેલ થશે તે અંગેની જાહેરાત આજે થશે.
વિરાટ કોહલીના અનુસાર, ટીમની પસંદગીમાં વધારે કોઇ મુશ્કેલી ઉભી નહી થાય. ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ વન ડે સીરિઝને 2-3થી હાર્યા પછી વિરાટ કોહલીએ પોતે ખુલાસો કર્યો હતો કે, માત્ર 1 સ્થાનને લઇને મુશ્કેલી છે, પરંતુ આ સ્થાન પસંદ કરવુ સિલેક્ટર્સ માટે ખરેખર અધરું છે.
નંબર 4 પરના બેટિંગ ક્રમથી લઇને બીજા વિકેટકિપર અને ચોથા ફાસ્ટ બૉલરને લઇને લાાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. ટીમની પસંદગી કરતા સમયમાં સૌથી પહેલો એ સવાલ છે કે, વિસ્ફોટક વિકેટકિપર-બેટ્સમેન ઋષભ પંત ટીમનો ભાગ હશે કે નહી?
ત્રીજા ઑપનર રાહુલ હશે કે નહી:
શિખર ધવન અને રોહિત શર્માની ઑપનિંગ જોડીમાં કોઇ ફેરફાર થાય તેવુ લાગી રહ્યુ નથી. ત્રીજા ઑપનર તરીકે કે.એલ.રાહુલની પસંદગી થઇ શકે છે. સુનીલ ગવાસ્કર રાહુલને ચોથા નંબર પર રમવા આવવા માટે સલાહ આપી ચૂક્યા છે, આમ તો રાહુલે IPL 12માં ઑપનર તરીકે સારુ ફોર્મ કર્યુ છે.
કોણ બનશે નંબર 4 બેટ્સમેન:
વિરાટ કોહલી પોતે ત્રીજા ક્રમે રમવા આવી શકે છે. એવામાં ચોથા સ્થાન પર કોણ આવે તે માટે સિલેક્ટર્સ લાંબા સમયથી વિચારી રહ્યા છે. અંબાતી રાયડુને આ સ્થાન પર રમાડી શકાય પરંતુ ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘનુ પરફૉર્મન્સ સારુ ન હતુ, એવામાં સિલેક્ટર્સ માટે અંબાતી રાયડુ સિવાય ઋષભ પંત, વિજય શંકર અને શ્રેયસ અય્યર માટે વિચારી શકે છે.
ટીમ મેનેજમેન્ટ બીજા વિકેટકિપરની પસંદગી કરવા નથી ઇચ્છતુ. ઋષભ પંતને બેટ્સમેન તરીકે પસંદ કરવા પર વિકેટકિપરનો સવાલ ખત્મ થઇ જાય છે. સિલેક્ટર્સ ઋષભ પંતને બેટ્સમેન તરીકે વિરાટની સમક્ષ વિકલ્પમાં રાખશે. જોકે બીજા વિકેટકિપર તરીકે દિનેશ કાર્તિકને પણ રમાડી શકે છે, પરંતુ હાલમાં તેનું પરફૉર્મન્સ કઇ ખાસ રહ્યુ ન હતુ.
ઋષભ પંતે આ IPLમાં અત્યાર સુધી 222 રન કર્યા છે, એવામાં તે મેચની સ્થિતિ બદલી શકે છે, વિરાટની સામે અંબાતી રાયડૂ, ઋષભ પંત, શ્રેયસ અય્યરમાંથી કોઇ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
બૉલરને લઇને પણ સવાલ:
ફાસ્ટ બૉલર્સમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર, મોહમ્મદ શામીની જગ્યા પાક્કી છે. સાથે જ એક એવા ઑલરાઉન્ડરના રૂપમાં હાર્દિક પંડ્યાનું સ્થાન પણ પાક્કુ છે. ઇંગ્લિશ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક વધારે સીમરની માંગ થઇ શકે છે અથવા તો પછી વધારે પેસ ઑલરાઉન્ડર તરીકે વિજય શંકરથી પણ કામ ચલાલી શકાય છે. રવિન્દ્ર જાડેજા પણ સારો બૉલર છે. કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલની સાથે ઑલરાઉન્ડ રવિન્દ્ર જાડેજાના નામ પર વિચારણામાં કરવામાં આવી શકે છે. અતિરિક્ત પેસર તરીકે ઉમેશ યાદવ, નવદીપ સૈની અને ખલીલ અહમદ પણ વિકલ્પના રૂપે છે.
જ્યારે બાકીના 4 સ્થાનો માટે કે.એલ.રાહુલ, અંબાતી રાયડુ, ઋષભ પંત, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિકમાં ટક્કર થશે. આ સિવાય જો ચોથા સીમરની ચર્ચા થઇ તો ઉમેશ યાદવ, નવદીપ સૈની ,ખલીલ અહમદ અને ઇશાંત શર્માનુ નામ જોડાશે.