ભારતીય રિઝર્વ બેંકએ વિદેશી પેમેન્ટ ગેટવે કંપનીઓને પોતાનું સર્વર લગાવવા માટે 15 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો. જે આજે પૂર્ણ થઇ ગયો છે. આ કંપનીઓએ આરબીઆઇથી સમયસીમા વધારવાની માંગ કરી હતી જેનાથી RBI એ સ્પષ્ટ ના પાડી દીધી હતી. એવામાં આ માહિતી જોરો પર છે કે 15 ઓક્ટોબર બાદ 30 કરોડ લોકોના ATM કાર્ડ બંધ કરી દેવામાં આવશે. તો ચલો જાણીએ 15 ઓક્ટોબરથી ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર શું અસર પડશે.
15 ઓક્ટોબરથી માસ્ટરકાર્ડ વીઝા સહિત 16 કંપનીઓના કાર્ડ બંધ થવાના સમાચાર એ ખોટા છે. સરકારના નિયમનું પાલન ના કરવાના કારણએ આ કંપનીઓના ડેબિટ અને ક્રેડિટ બંધ કરવામાં આવશે નહીં પરંતુ અશર જરૂર થશે. ડેબિટ અને ક્રેડિટથી ચુકવણી કરવી બંધ થઇ શકે છે. વિદેશી કંપનીઓનું પેમેન્ટ કરવામાં પરેશાનીઓનો સામનો કરવો પડશે.
પરંતુ એટીએમથી પૈસા નિકાળવા પર કોઇ અસર પડશે નહીં. તમે સરળતાથી પૈસા નિકાળી શકશો.
15 ઓક્ટોબરે આ કંપનીઓના પ્રતિનિધિઓએ નાણા મંત્રી અરુણ જેટલી સાથે મુલાકાત કરીને પોતાની વાત કહી અને સમય વધારવા માટેની માંગણી કરી. કંપનીઓએ કહ્યું કે ડેટા સ્ટોર કરવામાં આશરે 2 વર્ષનો સમય લાગશે. કંપનીઓએ એવી પણ માંગણી કરી છે કે માત્ર ડેટા4 સ્ટોરની જગ્યાએ એમને કોપી રાખવાની પણ છૂટ મળે. નાણા મંત્રાલય ડેટાની કોપી રાખવાના મૂડમાં છે. એને લઇને આર્થિક મામલાના સચિવે કેન્દ્રીય બેંકને એક ચિઠ્ઠી પણ લખી હતી. આરબીઆઇએ એના માટેસ્પષ્ટ ના પાડી દીધી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે જોરદાર ભારતના આ પગલાનો વિરોધ કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે વીઝા માસ્ટર કાર્ડ જેવી પેમેન્ટ કંપનીઓના ભારતમાં લોકલ ડેટા સ્ટોરેજ મુદ્દા પર હસ્તક્ષેપ કરવાની વાત કહી હતી. આ કંપનીઓનું કહેવું છે રે લોકલ ડેટા સ્ટોરેજથી એમનો સરેરાશ ખર્ચ વધી જશે અને એ સરળતાથી આ પ્રક્રિયાનુ પાલન કરી શકશે નહીં. જણાવી જઇએ કે ભારતમાં જારી થનારા વધારેમાં વધારે કાર્ડ્સ માસ્ટરકાર્ડ અથવા વીઝા દ્વારા જારી કરવામાં આવે છે. જો કે ભારતે પણ રૂપિયા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જારી કરવાનું શરૂ કરી દીધું છે પરંતુ એવા લોકોની સંખ્યા ઓછી છે.