આવતીકાલે ભગવાન જગન્નનાથની 142મી રથયાત્રા નીકળશે. ત્યારે આજે એટલે કે અષાઢ સુદ એકમના રોજ ભગવાન જગન્નનાથ સોનાવેશમાં દર્શન આપશે. આજે ભગવાનના રથની પણ પૂજા કરવામાં આવશે.. રથની પૂજા કર્યા બાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવશે. રથને શુભ મૂહૂર્તમાં મંદિરના પ્રાંગણમાં મુકવામાં આવશે. તો બનારસ, ગોકુળ, મથુરાના સાધુ સંતો પણ ભગવનાના રથ અને મંદિરમાં પૂજા અર્ચના કરશે.