ગુજરાતના 20માં રાજ્યપાલ તરીકે રાજભવનમાં હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવેએ આચાર્ય દેવવ્રતને શપથ લેવડાવ્યા છે. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડે.સીએમ નીતિન પટેલ તેમજ મંત્રીમંડળના મોટા માથાઓ હાજર રહ્યા હતાં.
આ પહેલા આચાર્ય દેવવ્રત ગઈકાલે સાંજે જ ગુજરાત આવી ગયા હતા. જ્યાં મુખ્યમંત્રી સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ તેમનું ઓ.પી. કોહલી તથા લેડી ગવર્નર શ્રીમતી અવિનાશ કોહલીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું.
હિમાચલથી આચાર્ય દેવવ્રતને ગુજરાતમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હિમાચલના પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યાં હતા. તો ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કલરાજ મિશ્રાને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવ્યા છે.
કોણ છે આચાર્ય દેવવ્રત
ગુરુકુળ કુરુક્ષેત્રના પ્રાચાર્ય ડો.દેવવ્રત આચાર્ય ભાજપના સક્રિય સદસ્ય હતા. તેમનુ કોઈ રાજનીતિ કરિયર ન હતું. આર્ય સમાજી હોવાને કારણે તેમના પ્રૂવ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સાથે સારા સંબંધ હતા. તેથી તેમને હિમાચલના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તેમના યોગગુરુ રામદેવ બાબા સાથે પણ સારો પરિચય છે.
તેમના હિમાચલના રાજ્યપાલ બનાવવા પર માનવામાં આવ્યું હતું કે, રામદેવ બાબાની ભલામણથી જ તેઓ હિમાચલના રાજ્યપાલ બન્યા હતા. રામદેવ તેમને વિધાનસભા ઈલેક્શનમાં થાનેસરથી ટિકીટ અપાવવા માંગતા હતા. શિક્ષણ ક્ષેત્રને વધુ સારુ બનાવવા માટે તેમણે 19 જેટલા એવોર્ડ મળી ચૂક્યા છે. જેમાં ભારત જ્યોતિ એવોર્ડ, અમેરિકન મેડલ ઓફ ઓનર પણ સામેલ છે.
ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર નેચરોપથી, નવી દિલ્હીથી 2002માં ડોક્ટર ઓફ નેચરોપથી એન્ડ યૌગિક સાયન્સની ડિ્ગરી પ્રાપ્ત કરનારા દેવવ્રત વેદ પ્રચાર માટે સ્વિત્ઝરલેન્ડર, નેધરલેન્ડ, હોલેન્ડ, ફ્રાન્સ, ઈંગ્લેન્ડ, ઈટલી, વેટિકન સિટી, નેપાળ અને ભૂટાન જેવા અનેક દેશોની સફર ખેડી ચૂક્યા છે. તેઓ માને છે કે, મેં સમાજસેવાને મારો ધર્મ માનીને કામ કર્યું છે. દેશની સભ્યતા અને સંસ્કૃતિની રક્ષા કરવા માટે ગુરુકૂળમાં યુવા શક્તિને તૈયાર કરવી જોઈએ.