ઓટિઝમ વિશે જણાવી દઈએ કે, આ બાળકના જ્ઞાનતંતુ, અંતસ્ત્રાવ અને પાચનક્રિયાને અસર કરતી બીમારી છે અને તે નાનાં બાળકોમાં જોવા મળતી બીમારી છે
આજે 2 એપ્રિલ એટલે વર્લ્ડ ઓટિઝમ ડે
ઓટિઝમથી સામાન્ય થવાનો 90 ટકા જેટલો ચાન્સ છે: ડો કેતન પટેલ
36 બાળકોમાંથી 1 બાળક ઓટીઝમથી પીડીત:CDC
આજે 2 એપ્રિલ છે અને આ દિવસને વર્લ્ડ ઓટિઝમ ડે તરીકે મનાવવામાં આવે છે. તમને ઓટિઝમ વિશે જણાવી દઈએ કે, ઓટિઝમ બાળકની જ્ઞાનતંતુ, અંતસ્ત્રાવ અને પાચનક્રિયાને અસર કરતી બીમારી છે અને તે નાનાં બાળકોમાં જોવા મળતી બીમારી છે. આ રોગથી પીડાતા બાળકને ઓટિસ્ટિક ચાઈલ્ડ પણ કહેવાય છે. જે બિમારીથી બચવા માટે જાગૃત્તિના ભાગરૂપે 2 અપ્રિલના રોજ વર્લ્ડ ઓટીઝમ દિવસ ઉજવાય છે. 2 અપ્રિલના દિવસે દુનિયાભરની જાણીતી ઈમારતોને ભૂરા કલરની રોશની (BLUE LIGHT)થી શણગારવામાં આવે છે અને તે LIGHT IT UP BLUE તરીકે દર્શાવાય છે,
જેમ કે, પિઝાના ઢળતા મીનારા-ઈટાલી, MACAO TOWER-હોંગકોગ, ઓપરા હાઉસ-સીડની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ-USA ગીઝાના પીરામીક- ઈજીપ્ત, ગ્રેટ બુધ્ધા, થાઈલેન્ડ, બુર્ઝ ખલીફા સહિતની બિલ્ડિંગો પર એક સપ્તાહ સુધી બ્લુ લાઈટથી રોશની કરવામાં આવે છે. ઓટીઝમને લઈ તમને અનેક સવાલો થતા હશે કે, આના લક્ષણો શુ હોય તેમજ નિદાન કઈ રીતે કરાવવું. જે તમામ સવાલોના જવાબ VTVએ ડોક્ટર કેતન પટેલ પાસેથી જાણ્યા છે.
ઓટીઝમ ગ્રસ્ત બાળકમાં જોવા મળતા લક્ષણો
ડોક્ટર કેતન પટેલના જણાવ્યા અનુસાર બાળકની ઉંમર દોડથી બે વર્ષની હોય, બાળકને માતા-પિતા તથા અન્ય સામે નજરથી નજર ન મિલાવે તેમજ તેને બોલવવાથી અથવા અવાજ કરવાથી તે ના જોવે તેમજ 18થી24 મહિનાની ઉંમર થવા છતાં બોલતા ન શિખે અને નાનું બાળક સતત પંખો કે અન્ય વસ્તું જોયા કરે. એક જગ્યાએ ગોળ ગોળ ફર્યા કરે. કોઈ એક વસ્તુ રમકડા સાથે લાંબા સમય સુધી ફર્યા કરે. અન્ય બાળક સાથે રમે નહી. કારણ વગર હસવું. અવાજ સાંભળી કાન બંન્ને હાથ વડે ઢાંકી દેવા. વસ્તુઓને હાથમાં લઈ ફેકી તોડી દેવી તેમજ પોતાના શરીર પર દાંત વડે ઈજાએ કરવી જેવા વગેરે લક્ષણો હોઈ શકે છે. આ તમામ લક્ષણોમાંથી ત્રણથી વધારે લક્ષણો તમારા બાળકમાં જોવા મળે તો તરત જ બાળકને જ્ઞાનતંતુના એટલે કે ઓટીઝમના નિષ્ણાંત ડોક્ટરને બતાવી દેવું જેનાથી સમયસર નિદાનથી યોગ્ય સારવાર કરી શકાય
ઓટીઝમનો નિદાન?
ઓટીઝમના નિદાન અંગે ડો. કેતન પટેલે જણાવ્યું કે, 18 મહિનાની ઉંમરથી લઈ 30 મહિનાના બાળકમાં જોવા મળતી આ બિમારી કોઈ એક ટેસ્ટ કે મેડિકલ રિપોર્ટ જેવા કે સીટી સ્કેન, એમઆરઆઈ દ્વારા જાણી શકાતી નથી.
નિદાન બે તબક્કામાં થઈ શકે છે:
પહેલા તબક્કામાં બાળકોનો શારિરીક અને માનસિક વિકાસ તેની ઉંમર પ્રમાણે થઈ રહ્યો છે કે કેમ તે જાણવા માટે બાળકની શિખવાની ક્ષમતા, તેની બોલવાની રીત, તેની બોલવાની અને ચહેરાના હાવભાવનો અભ્યાસ કરી તેની નોંધ રાખી ચોક્કસ સમય જેમ કે, 12 મહિના, 18 મહિના કે 24 મહિને એટલે કે 2 વર્ષની ઉંમરે બાળકના વિકાસ દરને ધ્યાનમાં રાખી નિદાન કરવામાં આવે છે. બાળકની સંભાળ રાખનારને વૈજ્ઞાનિક રીતે તૈયાર કરેલી પ્રશ્નોત્તરીના જવાબ આધારે નિદાન કરવામાં આવે છે.
બીજા તબક્કામાં આ રોગના નિષ્ણાંત ડોક્ટરો જેવા કે, ડેવલેપમેન્ટલ પીડીયાસ્ટ્રીસીયન (બાળકના જ્ઞાનતંતુ તેમજ વર્તણુકના રોગના નિષ્ણાંત) અને DNA ડોક્ટર્સ દ્વારા થતી હોય છે.
ઓટીઝમની સારવાર
ડો. કેતન પટેલે કહ્યું કે, હોમીયોપેથીમાં ઓટીઝમની સચોટ અને સમય સાથેની સારવાર સંભવ છે, જો બાળકનું નિદાન ચાર વર્ષ કે, તેની પહેલા કરવામાં આવે તો તેના સામાન્ય થવાના સંજોગોમાં 90 ટકા જેટલો ચાન્સ હોય છે, 10 ટકા બાળકો દુનિયાભરની કોઈપણ સારવારથી સારા થતા નથી. બાળક હેમીયોપેથીની સારવારથી 9 મહિના પછી બોલવાનું શરૂ કરે ત્યારે બાળકને 2 મહિના સ્પીચ થેરાપી આપવાથી બોલતા સારી રીતે થઈ શકે છે.
સારવાર દરમિયાન દૂધની બનાવટ તેમજ ઘંઉ અને તેની બનાવટની વસ્તુ સંપૂર્ણ બંધ કરવાની રહેશે. દૂધની બનાવટ જેમ કે, દહીં, છાસ, માખણ, ચીઝ બંધ કરવું અને તેના બદલામાં બાળકને સોયા, બદામ કે નાળીયેરીનું દૂધ આપવું.
ઓટીઝમના કારણો
દુનિયાભરના ડોક્ટર્સો, વૈજ્ઞાનિકો આ બિમારીના કારણો જાણવા પ્રયત્નો કરે છે પણ કોઈ એક ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ કેસોની હિસ્ટ્રી અને મેડિકલ હિસ્ટ્રી પરથી જાણી શકાય કે, માતાના શરીરમાં રહેલું chronic infection જે બાળકના માનસિક વિકાસને ગર્ભાવસ્થા દરમિયાન અસર કરે જેમ કે, Torch invffction. માતામાં રેહલી અંત:સ્ત્રાવી ગ્રંથીના કારણે હોર્મોનમાં રહેલી અસમાનતા, થઈરોડની ઉણપ તેમજ વાતાવરણમાં રહેલું પ્રદૂષણ. જીનેટીક ડીસઓવર જેવા વિવિધ કારણો સામે આવ્યા છે.
36 બાળકોમાંથી 1 બાળક ઓટીઝમથી પીડીત?
CDCના જણાવ્યા પ્રમાણે દુનિયામાં જન્મ લેતા 36 બાળકમાંથી 1 બાળક ઓટીઝમથી પીડીત છે અને આ આંકડો ભયજનક ગણવામાં આવે છે. કેમ કે, તે કેન્સર અને ડાયાબીટીસ તેમજ HIVના બાળકોના સરવાળા કરતા વધારે છે.