આમ આદમી પાર્ટી (AAP) શનિવારે અનઅધિકૃત કોલોનીમાં ભાજપની વિરુધ્ધમાં છેતરપિંડી દિવસની ઉજવણી કરશે. પાર્ટીના વરિષ્ઠ નેતા અલગ અલગ કોલોનીમાં પોતાના પ્રચારને આગળ વધારશે.
આજે સડક પર ઉતરશે આપ નેતા
ભાજપની વિરુદ્ધમાં કરશે પ્રચાર
દિલ્હીવાસીઓને કરશે છેતરપિંડીની જાણ
આપનો આરોપ છે કે કોંગ્રેસની જેમ કેન્દ્ર સરકાર પણ ચૂંટણી પહેલાં અનઅધિકૃત કોલોનીને નિયમિત કરવાના નામે છેતરપિંડી કરવામાં લાગી ચૂકી છે. માલિકી હક આપવાના બદલે ભાજપ ઓનલાઈન રજિસ્ટ્રેશન વહેંચી રહી છે. દિલ્હીવાસીઓને આ છેતરપિંડીની જાણકારી આપવા માટે આજે આપ નેતા સડક પર ઉતરશે.
લોકોને આપશે આ જાણકારી
પાર્ટી કાર્યાલયમાં મીડિયા સાથેની વાતમાં દિલ્હી પ્રદેશ સંયોજક ગોપાલ રાયે આરોપ લગાવ્યો કે ભાજપના અનઅધિકૃત કોલોનીના લોકો સાથે ખોટું બોલી રહી છે. જે રીતે પહેલાં કોંગ્રેસ સરકારે લોકોને પ્રોવિઝનલ સર્ટિફિકેટ આપ્યા હતા તે રીતે ભાજપ પણ હવે રજિસ્ટ્રીના નામે ઓન લાઈન રજિસ્ટ્રેશન નંબરની વહેંચણી કરી રહ્યું છે.