RJDનાં મંત્રીથી 2024માં થનારી લોકસભાની ચૂંટણીને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપતાં કહ્યું કે ચૂંટણી જીતવા માટે ભાજપ આર્મી પાસે હુમલાઓ કરાવે છે...
કહ્યું કે ચૂંટણી જીતવા ભાજપ આર્મી પાસે હુમલાઓ કરાવે છે
BJPનાં નિખિલ આનંદે કર્યો વળતો પ્રહાર
બિહાર: પટનામાં મહાગઠબંધનની સરકારમાં શામેલ RJDનાં મંત્રી આજકાલ વિવાદિત નિવેદનો આપી રહ્યાં છે. થોડા દિવસો પહેલાં શિક્ષામંત્રી ચંદ્રશેખરે રામચરિતમાનસ પર વિવાદિત નિવેદન આપ્યું છે. આ મામલો હજુ શાંત થયો નથી ત્યાં RJDનાં મંત્રી સુરેન્દ્ર યાદવે પણ વિવાદિત નિવેદન આપ્યું છે.
'BJP દેશ પર હુમલો કરાવશે'
સુરેન્દ્ર યાદવને જ્યારે પૂછવામાં આવ્યું કે બીજેપી દાવો કરી રહી છે કે 2024માં લોકસભાની ચૂંટણીમાં તેઓ જીતશે તેના પર મંત્રીએ કહ્યું કે BJPનાં સૂપડાં સાફ થઈ જશે. દરેક વખતે ભાજપ ચૂંટણી જીતવા માટે આર્મી પાસેથી હુમલાઓ કરાવે છે. આ વખતે લાગે છે કે દેશ પર હુમલો કરાવશે. સુરેન્દ્ર યાદવે એવું પણ કહ્યું કે તે બીજેપીનાં ચેલેન્જને સ્વીકારે છે.
ભાજપે કહ્યું કે સાંભળીને હસવું આવે છે...
RJD નાં મંત્રીનાં વિવાદિત નિવેદન પર ભાજપે પણ જવાબ આપ્યો છે. નિખિલ આનંદે કહ્યું કે RJDમાં એકથી એક ચડીયાતા તીરો છે કે જે દેશ અને દુનિયામાં બિહાર માટે સમસ્યાઓ ઊભી કરી રહ્યાં છે. હવે સુરેન્દ્ર યાદવનું નિવેદન સાંભળીને તો હસવું આવે છે કે ચૂંટણીમાં BJP આર્મી પર હુમલાઓ કરાવે છે અને હવે કોઈ પણ દેશ પર હુમલો કરાવશે...
મુખ્યમંત્રી પદની ગરિમા રાખવી જોઈએ- નિખિલ આનંદ
નિખિલ આનંદે કહ્યું કે 'બિહારનાં મુખ્યમંત્રી પોતાના કેબિનેટનાં સદસ્યોનાં અનિયંત્રિત ચિત્તભ્રમણા પર લગામ લગાવે. તેઓ આવું કહીને છૂટી ન શકે કે આરજેડી જોશે કારણકે જે મંત્રી છે તે કેબિનેટનાં સદસ્ય છે ન કે લાલૂનાં પરિવારનાં કેબિનેટ સદસ્ય. નીતિશ કુમારને પોતાના માન-સન્માનનો વિચાર નથી તો કમ સે કમ બિહારનાં મુખ્યમંત્રી પદની ગરિમા તો જરૂર રાખવી જોઈએ.'