સ્વસ્થ રહેવા માટે સારી ડાયેટની સાથે ખાવાની યોગ્ય રીત પણ ખૂબ જ જરૂરી છે. ઘણીવાર લોકો ભોજન કર્યા પછી ઘણી ભૂલો કરે છે, જે ન કરવી જોઈએ.
સ્વસ્થ્ય રહેવા યોગ્ય ડાયેટ ખૂબ જ જરૂરી
પરંતુ ખાવાની રીત પર પણ આપો ધ્યાન
ભોજન બાદ આટલી ભૂલો પડી શકે ભારે
સ્વસ્થ રહેવા માટે સારી ડાયેટની સાથે ખાવાની યોગ્ય રીત પણ ખૂબ જ જરૂરી છે. તમે ખોરાક કેવી રીતે ખાઓ છો તેના પર ખાસ ધ્યાન આપો. તંદુરસ્ત રહેવા માટે યોગ્ય ડાયેટ અને સંતુલિત આહાર મહત્વપૂર્ણ છે.
શું અને ક્યારે ખાવું તેની સાથે તમને તે પણ જાણવું જોઈએ કે તમારે કેટલું ખાવું જોઈએ. ભારતમાં આ સમયે તહેવારોની સીઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં ખોરાક પર નિયંત્રણ રાખવું થોડું મુશ્કેલ બની શકે છે. ખાધા પછી ઘણા લોકો એવી ભૂલો કરે છે, જેના કારણે તેમનું સ્વાસ્થ્ય બગડે છે. ચાલો જાણીએ તે આદતો વિશે જે લોકો ખાધા પછી વારંવાર કરે છે, પરંતુ ન કરવી જોઈએ.
કસરત
ખોરાક ખાધા પછી તરત જ ક્યારેય કસરત ન કરો. કારણ કે આમ કરવાથી પાચનતંત્ર બગડી શકે છે. જમ્યા પછી તરત જ કસરત કરવાથી ઉબકા, પેટમાં દુખાવો અને ઉલ્ટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમને વધુ જરૂર હોય, તો તમે જમ્યા પછી થોડી વાર ચાલો.
ઊંઘ
જમ્યા પછી તરત જ ક્યારેય સૂવા ન જાવ. આમ કરવાથી પેટમાં બળતરા અને ગેસની સમસ્યા થઈ શકે છે.
પાણી પીવું
જમ્યા પછી વધુ પાણી પીવાથી પાચન પ્રક્રિયા ધીમી પડી શકે છે. પાણી પીવાથી પેટમાં એસિડ ડાઈલ્યૂટ થાય છે. જે પાચન પ્રક્રિયાને બગાડે છે. આપણા ભારતમાં મોટાભાગનો ખોરાક ગ્રેવી, દાળ, સાંભાર વગેરેના રૂપમાં હોય છે, જેમાં પૂરતા પ્રમાણમાં પ્રવાહી હોય છે. પાણી સિવાય, તમે ખોરાક સાથે સલાડ પણ ખાઈ શકો છો, કારણ કે તેમાં પાણીનું પ્રમાણ પણ વધુ હોય છે.
ફળનું સેવન
જમ્યા પછી ફળો ક્યારેય ન ખાવા જોઈએ. આમ કરવાથી ગેસની સમસ્યા થાય છે.
ચા અથવા કોફી
ઘણા લોકો જમ્યા પછી ચા કે કોફી પીવે છે. પરંતુ આમ કરવું સ્વાસ્થ્ય માટે સારું નથી. ચા અને કોફીમાં ફિનોલિક કમ્પાઉન્ડ હોય છે. જે ખોરાકમાંથી આયર્ન જેવા પોષક તત્વોને એબઝોર્બ કરવામાં મુશ્કેલી ઉભી કરે છે.