ભગવાન વિષ્ણુએ ધરતી પરથી પાપનો નાશ કરવા માટે કૃષ્ણના અવતારમાં જન્મ લીધો હતો જેથી આ દિવસને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન કૃષ્ણની પત્ની રૂક્મણી માં લક્ષ્મીજીનો અવતાર હતા. જો જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાયો કરવામાં આવે તો માતા લક્ષ્મી પ્રસન્ન થઇ જાય છે. આ ઉપાયો કરવાથી આર્થિક તંગી દૂર થાય છે અને દેવામાંથી પણ મુક્તિ મળે છે. જાણો આ માટેના ઉપાયો...
જીવનમાં સુખ સમુ્દ્ઘિ મેળવવા માટે જન્માષ્ટમીની રાતે 12 વાગે ભગવાન કૃષ્ણને કેસર મિશ્રિત દૂધનો અભિષેક કરો આમ કરવાથ તમારા જીવનમાં તમામ પ્રકારની સમસ્યા દૂર થશે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે.
જીવનમાં તમામ પ્રકારનુ સુખી સમુદ્ઘિ માટે જન્માષ્ટમીના દિવસે પીળા ચંદન કેસર ગુલાબજળ ભેળવીને ચાંદલો કરો આ કામ દર ગુરુવારે કરો.
જન્માષ્ટમીની સાંજે તુલસીને ગાયના ઘીનો દીવો કરો અને ॐ वासुदेवाय नमः મંત્રનો જાપ કરતા તુલસીની 11 પરિક્રમા કરો આ ઉપાયથી દેવામાંથી મુક્તિ મળશે. આ સિવાય જન્માષ્ટમીના દિવસે શ્માશાનના કૂવામાંથી પાણી ભરીને પીપળાના વૃક્ષને નિયમિત રીતે 6 શનિવાર સુધી ચઢાવો.
જન્માષ્ટમીના દિવસે 2 કેળાના ઝાડ વાવો અને તેની રોજ દેખભાળ કરો. દર ગુરુવારે આ કેળાના ઝાડની પૂજા કરો જ્યારે ઝાડ ફળ આપવા લાગે ત્યારે આ ફળનું દાન કરો પોતે ના ખાવો. આમ કરવાથી માતા લક્ષ્મીજીની કૃપા તમારા પર બની રહેશે.
જન્માષ્ટમીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને કૃષ્ણ મંદિરમાં જઇને ભગવાનને પીળા ફૂલ ચઢાવો અને ભગવાનને તમારી આર્થિક સ્થિતિ વિશે જણાવો આ ઉપાય કરવાથી ધનલાભનો યોગ પ્રબળ થઇ જશે.
જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ મંદિરમાં क्लीं कृष्णाय वासुदेवाय हरी: परमात्मने प्रणत: क्लेशनाशाय गोविंदाय नमो नमः મંત્રનો જાપ કરો તમારી તમામ સમસ્યાનું સમાધાન થઇ જશે.
જન્માષ્ટમીના દિવસે દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને ભગવાન કૃષ્ણનો અભિષેક કરી શકો છો સાથે જ આ ઉપયા દર શુક્રવારે કરવાથી માં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને તમામ મનોકામના પૂર્ણ કરે છે.
નોકરીમાં પ્રમોશન જોઇએ કે પછી પગરામાં વધારો થાય તો જન્માષ્ટમીના દિવસે 7 કન્યાઓને બોલાની ખીર ખવડાવો. આવું સતત પાંચ શુક્રવાર સુધી કરતા રહો. તમારા પગારમાં વધારો થઇ જશે.